________________
વચનામૃત રહસ્ય
૧૬૯
આનંદનો રસ આવે અને અંદરમાં તૃપ્તિ તૃપ્તિ થઈ જાય. સમજાય છે કાંઈ ? આહ..ઘ...!
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ, તેને ચોવીશે કલાક એક જ ચિંતન,....' (ચાલુ), આ..હા, હા,,! આત્મા..આત્મા,..આત્મા,.. અંદર આનંદનો નાથ, સાગર...! ચોવીશે કલાક ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ જેનું ચોવીશે કલાક એક જ ચિંતન (ચાલે છે) એ ચિંતન રહ્યાં જ કરે. આહા...! એનું ‘,,,લન...’ રહ્યાં જ કરે, એની ‘....ખટક ચાલુ રહે.' (એટલે કે) અંતરની દૃષ્ટિની - રુચિની ખટક તો રહ્યાં જ કરે, આદ્ય..જી..!
(હવે દષ્ટાંત આપે છે) જેમ કોઈને બાનો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યાં જ કરે છે,,' (જેમ) મારી મા... મારી મા... મારી મા.... રહ્યાં કરે). આહા..હા..! ....તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય....' શું કહે છે ? આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિની રુચિ અને દૃષ્ટિ થઈ છતાં એને ભક્તિ આદિનો શુભ ભાવ આવે, ઉલ્લાસ પણ દેખાય, છતાં તેને રુચિમાં તેનો ભાવ નથી.
એક નંદીશ્વરદ્વીપ છે. આપણે જંબુદ્વીપમાં છીએ.. આઠમો નંદીશ્વરદ્વીપ, છે. ત્યાં બાવન જિનાલય છે. એક એક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમાઓ
કારતક સુદ આઠમથી પૂનમ, અષાડ સુદ આઠમથી પૂનમ, ફાગણ સુદ આઠમથી પૂનમ - (એમ) ત્રણવાર ઇન્દ્રો ત્યાં જાય છે. આઠમા દ્વીપમાં બાવન જિનાલય છે. એક એક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમા છે. એકાવતારી ઇન્દ્રો પણ ત્યાં આઠ દિ' ની ધૂની લગાવે છે એ પણ નાચે છે ! પણ ખ્યાલમાં છે કે આ ભાવ શુભ છે. મારો સ્વભાવ ભિન્ન છે. એમ ભાનમાં રાચે છે.
એ (અહીંયા) કહે છે. જુઓ ! ‘....શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં...' - શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં, ઉલ્લાસ દેખાય, જ્ઞાનીને બહારમાં શુભભાવમાં ઉલ્લાસ દેખાય. ‘....છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય.’ છતાં અંદરમાં ખટક તો ભગવાન....ભગવાન,ભગવાન આનંદ સ્વરૂપ....! આહા,.હા...! સ્વ-સ્વભાવની રુચિ અને ખટક તો રહ્યાં જ કરે છે. આા..ય..!