________________
૧૭૦:
[વચનામૃત-૪૪] વ્યભિચારીને - વ્યભિચાર જેની સાથે હોય એની ખટક રહ્યા જ કરે. ગમે એવા કામ હોય તો પણ રહ્યા જ કરે. એમ આ અવ્યભિચારી આત્માની જેને દૃષ્ટિ થઈ, એની ખટક તો અંદર રહ્યા જ કરે. બહારના શુભ ભાવમાં ઉલ્લાસ દેખાય, ભક્તિમાં ઉલ્લાસ દેખાય, વંદનમાં દેખાય, ભગવાન પાસે નાચતા દેખાય પણ અંદરમાં રાગની રુચિ હોતી નથી. ઉલ્લાસ દેખાય ખરો, પણ અંદરમાં આત્માની રૂચિ ખસતી નથી. ખરેક તો આત્માની જ હોય છે. ' . .
. .
. ' ' બાના પ્રેમવાળો ભલે કુટુંબ-કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બા માં જ રહ્યું હોય છે. મારી જનેતા . માતા... મારી મા ક્યાં છે ? ....મારી મા ક્યાં છે ? ...મારી મા ક્યાં છે ? એ છોકરાને મા નો પ્રેમ હોય, એને. મા વિના ક્યાંય ગોહે નહિ. એમ જેને આત્માનો પ્રેમ છે, એને રાગમાં રુચિ ગોઠતી નથી અને આત્મા વિના ક્યાંય ગોઠતું નથી. આવી વાતું છે ! શું ફરવું આમાં 2 ઓ બહારમાં કાંઈ કરવાથી થાતું હશે કે નહિ ? " (મંદિર બંધાવે, એમાં પૈસા ખર્ચીને એમ માને કે એમાં ધર્મ થઈ જશે તો, એમ નથી. અમે તો પહેલેથી જ કહેતાં આવ્યાં છીએ. છતાં મંદિર થવા કાળે થાય એને કરનારનો શુભ ભાવ પણ હોય અને તેણે શુભમાં રુચિ રાખવી ન જોઈએ. રુચિ રાખવી જોઈએ આત્મામાં. ભાવ તો આવે, ભાવ થાય, દયાનો ભાવ થાય, દાનનો (ભાવ) થાય, પરની દયાનો ભાવ (આ), (પણ) પરની દયા કરી શકે નહિ. આત્મા પરની દયા કરી શકે નહિ. કેમકે પર વસ્તુનું આત્મા કાંઈ કરી શકે નહિ. પણ પરની દયાનો ભાવ આવે એને પણ રાગ અને હિંસા કહે છે. આત્માની શાંતિ એમાં બળે છે ! આ..હા..હા..હા...! છતાં ધર્મીને ભાવ આવે પણ તેના પ્રત્યેની રુચિ ન હોય. આહો..! આ તો આટલો બધો ફેર ! ઓલા કહે .” “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખણ, અનંત જીવ મુક્તિએ ગયો, દયા તણા પ્રમાણ.' અહીં! કહે છે પરની દયામાં રાગ છે. તારી દયામાં વીતરાગતા છે. તારી દયા એટલે ? રાગ વિનાનો અનંત ગુણનો ધણી, શુદ્ધ આનંદકંદ ! “સિદ્ધ સમાન સદા પદ મેરો’ ‘ચેતનરૂપ અનુપ અમૂરત, સિદ્ધ સમાન, સૂદા જૂદુ મેરો મોહ મહાતમ આતમ અંગ, કિયો પરસંગ મહાતમ ઘેરો, જ્ઞાનકલા ઊપજી અબ
:
:
: