________________
:વચનામૃત રહસ્ય
૧૭૯
ભરત ચક્રવર્તી ગૃહસ્થાશ્રમમાં હતાં છતાં એને આત્મજ્ઞાન અને (સ્વરૂપ) લીનતા હતી. બે ભાઈઓ લડાઈ કરતા (હતાં) તોપણ આત્માની અંદર લીનતા હતી ! લડાઈના ભાવને પણ પોતાનાં કર્તા ન માનતા, (માત્ર) જાણતાં હતાં. આહા..હા...! બે ભાઈઓ વચ્ચે લડાઈ !! બન્ને સમકિતી !! બન્ને જ્ઞાની !! બન્ને એ ભવે મોક્ષ જનારા !! આહા..હા...! જ્યાં ચક્ર માર્યું,..! ભરતે જ્યાં બાહુબળને ચક્ર માર્યું...! ચક્ર ઊભું રહી ગયું. ચરમ શરીરી જીવ છે (એટલે) ચક્ર ન લાગ્યું. આ ભાઈ-ભાઈ વચ્ચે આવો ૨ાગ ! એ રાગનેં પણ અંદરથી ભિન્ન જાણે છે. ‘હું એ નહિ, આ મારું નહિ, આ તો નબળાઈનો રાગ આવ્યો એ દુઃખદાયક દશા (છે). મારી તો આનંદ સ્વરૂપદશા (છે). આ દુઃખ દશા એ મારી નહિ, મારામાં નહિ, (હું) એનો નહિ, એ મારામાં નહિ, એમાં હું નહિ’ આહા..હા..! આવી દૃષ્ટિ થયું જીવન આત્મામય જ કરી લેવું જોઈએ.
ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય.... શું કહે છે ?
અંદર જાણવાનો ઉપયોગ, ચૈતન્યને પકડવાનો ઉપયોગ કાર્ય કરી શકતો ન હોય તો ‘....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે...... અંતર સ્વરૂપમાં જયે, અંતર (સ્વભાવ) પ્રાપ્ત થાય તે જ લાભ છે. બાકી બાહ્ય ચીજમાં ક્યાંય લાભ છે નહિ. આહા...હા...! (આમ) પ્રતીતિમાં એને આવવું જોઈએ. શું આવ્યું ?
....ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય....' (અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ અંદર હજી કંઈ પકડી ન શકતો હોય, ....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' રાગથી અને એક સમયની પર્યાયથી પણ, અગિયાર અંગના જાણપણાથી પણ (માર્ગ જુદો છે) અને શુભરાગની ક્રિયા - આ પૂજા, ભક્તિ બધો શુભ રાગ છે, એ કોઈ ધર્મ નથી. આહા..હા..! આવે. શુભ રાગ આવે, (અને) ‘ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' (એટલે કે) રાગથી ખસીને અંત૨માં જવું ત્યાં આત્મા છે. બીજે ક્યાંય આત્મા છે નહિ.
AI
આહા...! બેનના વચનો છે આ ! બેન અનુભવમાંથી બોલેલ છે. અનુભવમાંથી આ રસ આવ્યો છે. આહા..હા..હા...!
3