________________
વચનામૃત રહસ્ય
૧૭૭ પર્યાયથી ભિન્ન દ્રવ્યની પૂર્ણતાની દૃષ્ટિ થાય છે અને એ પૂર્ણતાના સ્વરૂપનો અનુભવ થાય છે. તોપણ તે પોતાની પર્યાયમાં પામરતી માને છે. (એવી) ગાથા છે, સ્વામી કાર્તિકેયમાં ! સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પુસ્તક છે ને ! એમાં આ ગાથા છે. આહા..હા...! ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વનું જ્ઞાને ઉઘડે અને ત્રણ કષાયના અભાવની વીતરાગતા આવે તો પણ હું પર્યાયમાં પામર છું !
ક્યાં કેવળજ્ઞાને ! કેવળદર્શન ! કેવળ આનંદ ! અને કેવળ પૂર્ણ પુરુષાર્થ !! અનંત ચતુષ્ટયની વ્યક્તતા આગળ પોતાની તે પર્યાયની તે પામરતા માને છે. અજ્ઞાનીને થોડું જાણપણું અને શુભ ભાવ થાય ત્યાં કૂદકો મારે છે ! કે અમે તો કાંઈક કર્યું ને અમે કાંઈક આગળ ચાલ્યાં !! આહા..હા! આવી (જ્ઞાની - અજ્ઞાની વચ્ચે ફેર છે ! આ બેનની વાણી આ છે !
(અહીંયા કહે છે કે, તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી.’ હતું તે પ્રગટ્યું. આહા..હા..! લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે. હિન્દીમાં ચરપરાઈ' (કહે છે). અમારે ગુજરાતીમાં ‘તીખાશ' (કહે છે). લીંડી પીપરમાં ચોસઠ પહોરી ચરપરાઈ - તીખાશ ભરી છે. કદે નાની, રંગે કાળી, પણ શક્તિએ પૂર્ણ ! શક્તિએ તીખાશ અને લીલા રંગથી પૂર્ણ છે - એ પૂર્ણ ચોસઠ પહોર એટલે રૂપિયે રૂપિયો - સોળ આના. એવી શક્તિ અંદર પડી છે ! એ જ્યારે ઘૂંટીને બહાર) આવે છે તો એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. ઘૂંટવાથી આવતું હોય તો તો લાકડાને (અ) પથરાને ઘૂંટે, ચોસઠ પહોરી તીખાશ આવવી જોઈએ. પરંતુ, જેમાં નથી ત્યાંથી કેવી રીતે આવે ? આ...હા..હા..!
(તેવી જ રીતે) આત્મામાં જ્ઞાન, દર્શન અને આનંદ છે. એ લીંડી પીપરમાં જેમ ચોસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો તીખો અને લીલો રંગ છે તો બહાર આવે છે. એમ આત્માની અંદર પરમેશ્વર પદ પડ્યું છે, આહા..હા..! કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, (અનંત વીર્ય) - (એ) ચતુષ્ટય શક્તિરૂપે પડ્યાં છે, તેની વ્યક્તતા થાય છે. છે તેની વ્યસ્તતા થાય છે. મળેલું છે તેમાંથી મેળવાય છે. આહાહા..! હવે આવો માર્ગ....!
એટલી પૂર્ણતા પ્રગટ થાય તો પણ ધર્મીને નવીનતા અને અભુતતા કંઈ લાગતી નથી. આહા...હા...! સમયસારમાં પાછળ બે શ્લોક છે. એમાં) આવે છે - “મમતામત ! એની દશામાં અમુતામત' પ્રગટી તોપણ તેને તેની વિસ્મયતા નથી. એ તો મારો સ્વભાવ હતો. મારો પ્રભુ પૂર્ણ