________________
૧૬૬
વિચનામૃત-૪૩] શુભભાવની વ્યાખ્યા કરવી હોય ત્યારે એ આવે ને ! આવી વ્યાખ્યા છે, પાઠ છે હ આવો પદ્મનંદી ત્યાં સોનગઢમાં) આખું વંચાઈ ગયું છે.
કાગડો પણ એકલો ઉકડીયા ખાતો નથી. એમ તારા પુણ્ય છે એ દાઝેલા ઉકડીયા છે. એ શું કહ્યું ? જે પુણ્ય છે, એ પૂર્વે તેં જે શુભ ભાવ કરેલો, એ શુભ ભાવમાં શાંતિ દાઝેલી તેને લઈને પુણ્ય બંધાણું. (પણ ત્યાં) શાંતિ દાઝી છે ! શુભ ભાવ છે તે ઉકડીયા છે ! એનું ફળ પુણ્ય અને એનું ફળ આ ધૂળ ! પૈસો) ! એકલો (સંસાર અર્થે) જો એ વાપરીશ (અને ધર્મના અનુરાગ માટે નહિ વાપર (તો કાગડામાંથી પણ જઈશ. ત્યાં તો શુભ ભાવ કરાવવો હોય ત્યારે તો એ સમજાવે કે નહિ ? અને અશુભ ઘટાડીને જે • વખતે જે ભાવ (કહેવો) હોય એ બતાવે કે નહિ ? છતાં એ શુભ ભાવ ઉપર જ્ઞાનીને રુચિ ન હોય. સમજાય છે કાંઈ ? કહે છે કે, જો એવો કાગડો (પણ) એકલો ન ખાય અને તને આ પાંચ-પચીસ લાખ કે કરોડ - બે કરોડની ધૂળ મળી, એમાં એકલો ખાઈશ તો કાગડામાંથી જાઈશ ! આહા..હા..! પદ્મનંદી પંચવિંશતીમાં મોટો દાનનો અધિકાર છે. આખું વ્યાખ્યાનમાં વંચાઈ ગયું છે.
કાગડામાંથી જઈશ એમ (કહ્યું છે). મુનિને શું પડી છે ! કે આ બીજાને ખોટું લાગશે કે નહિ લાગે ! આપણે પદ્મનંદીમાંથી એ વાત કરી હતી કે, અમે તને (આ) વાત કરીએ છીએ, તને ઠીક ન પડે તો પ્રભુ ! ક્ષમા કરજે !! તું ક્રોધ કરીશ નહિ, અણગમો લાવીશ નહિ, પ્રભુ ! આ વાત જ અમારી કોઈ અલૌકિક (છે) ! જન્મ-મરણ રહિત થવાનું વાતું છે. તને ઝીણી પડે કે અણગમો લાગે, અરુચિ લાગે, ગો નહિ અને એકની એક વાત જાણે આવતી હોય એમ તને લાગ્યા કરે, ભિન્ન-ભિન્નપણે આવતી હોય છતાં તને એમ લાગ્યા કરે, તને ગોઠે નહિ તો માફ કરજે. આ..હા..હા..!
આચાર્ય...! મુનિ...! એકાવતારી - એક ભવે મોક્ષ જનારા ! પાનંદી (આચાર્ય) (અત્યારે) સ્વર્ગમાં ગયાં છે અને એ તો એવું લાગે છે કે, એની દશા તીર્થકર થવાની લાગે છે ! ભવિષ્યમાં તીર્થકર થશે !! એવી એમાં શૈલી છે. જોતાં, વાંચન કરતાં એવું લાગે છે. એ જીવ તીર્થંકર થશે.
ભક્તામર કરનારો પુરુષ પણ તીર્થકર થવાનો હોય, એવી શૈલી લાગે છે. ભક્તામર સ્તોત્રમાં એવી શૈલી છે ! ભવિષ્યમાં એક કે બે ભવે તીર્થકર