________________
જ
=
વચનામૃત રહસ્ય
- ૧૬૫ છે. લાખ મીંડાં કરે પણ એમાં એનો એકડો ન થાય. કોરે કાગળે લાખ મીંડા લખે તો કાંઈ એકડો થાય ? અને એક એકડો હોય તો પણ એકનો નંબર આવી જાય. એમ આત્માની દૃષ્ટિ અને ધ્યેય) વિના જેટલું કરવામાં આવે એ બધાં એકડા વિનાના મીંડાં છે. આ..હા..હા... આત્માની રુચિ-અને દૃષ્ટિ કરી ત્યાં એકડો આવ્યો અને એમાં જો સ્થિર થયો તો મીંડું આવ્યું. તો દસ(૧૦) થઈ ગયો ! (એકડા) પછી મીંડું આવે તો દસ થઈ જાય. એકડા ઉપર મીંડું આવે તો (દસ થઈ જાય). એકલા લાખ મીંડા આવે તો પણ એકડો ન થાય. એમ સમ્યગ્દર્શન (એટલે કે) આત્માનું દર્શન અને આત્માની દૃષ્ટિ થઈ પછી જ એમાં સ્થિરતા આવે તો જેમ એક ઉપર મીંડું આવતાં દસ થાય, એમ સ્થિરતા વધતાં એની અંદર શાંતિ વધી જાય. સમજાય છે કાંઈ ? આવું છે આ !
આ પૈસામાં ક્યાંય ધર્મ હશે ? (ગમે તેટલા પૈસા ખર્ચે) પણ (તે કાંઈ) ધર્મ નથી. ધૂળમાં ધર્મ ક્યાં હતો ? આહા..હા...!
પ્રશ્ન : કાંઈક થોડું તો હોય ને ?
સમાધાન : છે ને, શુભ રાગ છે. કાંઈક છે - રાગની મંદતા છે, શુભ ભાવ છે. એની મમતા છે તે અશુભ છે અને એ તો આપણે પદ્મનંદીની વાત નહોતી કરી !
પદ્મનંદી (પંશવિંશતીમાંએ દૃષ્ટાંત છે કે, માણસ જ્યારે ચોખા ને ખીચડી રાંધીને ખાય. પછી ઉકડીયા જે હોય એ કાગડાને, કૂતરાને (ખાવા માટે) બહાર કાઢે. અમારે પાલેજમાં હતું. પાછળ પથ્થર મૂકી રાખતાં. ઉકડીયા હોય એ એમાં નાખે. ઉકડીયા સમજાય છે ? છેલ્લે (તપેલીમાં) ચોંટેલા, દાઝેલા ચોખા (હોય તેને ઉકડીયા કહેવાય. એ ઉકડીયા હોય તેને પાછળ પથ્થર હોય એમાં નાખતાં. એક કૂતરો ખાવા આવે ત્યારે બીજો આવે તો વઢે ! પણ એક કાગડો જો આવ્યો તો એ (ખાતાં ખાતાં બીજાં કાગડાને બોલાવે. કાઉં...કાઉ...કાઉં... કરીને બીજાં) દસ-પંદર કાગડાને બોલાવે અને પોતે ભેગો ખાય.
એમ આચાર્ય પદ્મનંદીમાં કહે છે. તેને પૂર્વના પુણ્યને લઈને આ પાંચપચાસ લાખ મળ્યાં ને ધૂળ મળી, (એ) જો એકલો ખાઈશ અને રાગ મંદ કરીને ધર્મના અનુરાગમાં નહિ વાપુર (તો) કાગડામાંથી તું જઈશ !! જ્યારે