________________
વચનામૃત રહસ્ય
૧૬૩ ત્યાં ઊભી હતી). એની મા આવી ચાલી ગઈ. પોલીસ (એને) પૂછે- ‘છોડી ક્યા ઘરની ? તું કઈ શેરીની ?” તો કહે “મારી બા !” “તારું નામ શું?” તો કહે “મારી બા’, ‘તારી ગોઠણ (બહેનપણી) કોણ ?” તો કહે “મારી બા બસ ! એ “મારી બા....!”, “મારી બા...!” કર્યા કરે. ગમે તે પૂછે તો એક જ જવાબ) ! “તારું નામ શું ? તો કહે “મારી બા. પોલીસો તો તપાસ કરે ને ! કોઈ શેરીની હોય તો એ શેરીમાં લઈ જઈએ. (એમ). કઈ શેરીની છે ? એની ગોઠણ કોણ છે ? તમે કઈ નાતના છો ? ગમે તે પૂછે પણ એ તો એમ જ કહે મારી બા...મારી બા...! કર્યા કરે.
એ અહીં કહે છે, જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે તારું નામ શું ? તો કહે “મારી બા'—' એક જ ધૂન લાગી છે . મારી બા ગઈ... મારી બા ગઈ... ક્યાં ગઈ મારી બા ? બા ક્યાં ગઈ ? આહા...! તારું નામ શું ? તો કહે “મારી બા', ..તારા માતા-પિતા કોણ ? તો કહે “મારી બા', દરેકનો એક જ જવાબ આપે. આહા..હા..!
તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે...' આહા..હા..! અંદર જ્ઞાયક આત્મા એટલે જાણનાર રસ, જ્ઞાનરસ, જ્ઞાનનું પૂર અને જ્ઞાનનું નૂરનું - તેજનું પૂર છે. આહા..હા..! જેમ નદીના પાણીના પૂર આમ વહે છે, એમ આત્માનું જ્ઞાન પૂર આમ ધ્રુવ... ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ.... વહે છે. અંદર જ્ઞાનનો પ્રવાહ ધ્રુવ વહે છે. આહા..હા..! ઝીણી વાતું છે. - “તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે.... આ...હા..હા...! કહેવા માત્ર નહિ ને દુનિયાને સમજાવવા માટે નહિ ને દુનિયા મોટો માને માટે નહિ, આહા..હા...! પણ જેને ખરી રુચિ લાગી છે, (એક) “...જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે.” અંદર જાણનાર જ્ઞાયક ચિદાનંદ પ્રભુ ! ધ્રુવ નિત્ય પ્રભુ બિરાજે છે. એને જેને પકડવો છે અને પ્રાપ્ત કરવો છે, ....તેને દરેક પ્રસંગે “જ્ઞાયકવભાવ....જ્ઞાયકસ્વભાવ.... - એવું રટણ રહ્યા જ કરે...' આ..હા..હા..! હું તો જ્ઞાયકવભાવ છું. રાગ નહિ, શરીર નહિ, વાણી નહિ, કુટુંબ નહિ, કબીલો નહિ, દેશ નહિ, કોઈ નહિ. ‘હું તો જ્ઞાયક છું એમ રટણ રહ્યા જ કરે. પેલી બાઈને (છોડીને) જેમ બા..બા.. રહ્યા કરે આ....હા..હા...! (તેમ આને જ્ઞાયકનું રટણ રહ્યા કરે.
અંતરનો આત્મા નિત્યાનંદ પ્રભુ પરમેશ્વર છે, એ ભગવતું સ્વરૂપ છે,