________________
:
-
-
-
-
-
૧૬૪
વચનામૃત-૪૩] એ અતીન્દ્રિય આનંદનો સાગર - નાયક છે, આ..હા..હા...! એની જેને રુચિ થઈ એને ક્ષણે ને પળે જ્ઞાયક....જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક.... (રહ્યા કરે. આ..હા..હા...! છે?
.. જ્ઞાયકસ્વભાવ...જ્ઞાયકસ્વભાવ - એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રૂચિ ને ભાવના રહે. નિરંતર (રહે. ભલે સંયોગ હો, ભલે શુભ ને અશુભ ભાવ આવે છતાં જ્ઞાયકભાવની રુચિ અને દૃષ્ટિ છૂટે નહિ. જેને જ્ઞાયકની રુચિ જામી છે અને જ્ઞાયકની દૃષ્ટિ થઈ_છેએનું ધ્યેય તેને ગમે તે પ્રસંગમાં પણ છૂટતું નથી—આહા..... આવો એનો સ્વભાવ છે. આ ધર્મ...! ' કરવું શું પણ આમાં અમારે ? કરવું એ પ્રભુ ! કે, એ જ્ઞાયકભાવ અંદર ભગવાન છે, એને પકડવો અને એનામાં રહેવું, રૂચિ કરવી - એ કરવાનું છે. રુચિ કરીને પછી એમાં ઠરવું એ કરવાનું છે. બાકી બધી ધૂળ ને ધાણી છે! આહા..હા..! (એ કહે છે). - એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. આહા..હા..!
આ બેનનાં અંદર અનુભવથી બોલાઈ ગયેલા વચનો છે. એમની નીચે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું છે. ૬૪ દીકરીયું, બાળ બ્રહ્મચારી...! એની વચ્ચે આ કાંઈક થોડું બોલેલા, એ લખાયેલું, એ આ બહાર આવી ગયું છે. એ તો કાંઈ બહાર પડવાના કામી નથી અને બોલવાના પણ કાંઈ નહિ. મડદાંની જેમ ચાલે) ! અંતરના આનંદમાં રસમાં એને બહારની કાંઈ સૂઝ પડતી નથી !! એકલો આત્મા..આત્મા... આત્મા... આત્મા... આનંદનો રસ છે મારો નાથ, એને મૂકીને એને ક્યાંય રસ પડતો નથી.
ધર્મીને જ્ઞાયકના રસ સિવાય બીજે ક્યાંય રસ પડતો નથી. ભલે શુભ ભાવ આવે પણ એમાં એને રસ આવતો નથી. આ..હા..હા...! શુભ ભાવ અસંખ્ય પ્રકારના છે . દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો એવા અસંખ્ય પ્રકારના ભાવ છે. એમ અશુભ ભાવ પણ અસંખ્ય પ્રકારના છે. પણ જ્ઞાનીને એક જ્ઞાયકભાવના પ્રેમ આગળ એ અસંખ્ય પ્રકારના ભાવમાં એને રુચિ હોતી નથી. એને દૃષ્ટિમાં અને ધ્યેયમાં લેતા નથી. એ ગણકાર્યા વિના છોડી દે છે ! આહા..હા..! આવો ઝીણો માર્ગ ! (લોકોને વખત મળે નહિ. આ......!
કરવાનું તો આ છે. પ્રભુ ! બાકી બધાં થોથાં છે. એકડા વિનાના મીંડા