________________
૧૬૨
વિચનામૃત-૪૩] અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને વૈરાગ્ય અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને રાગની રૂચિ છે, એને રાગની રુચિમાં - એ રાગ એકલો ચંચળતાવાળો અને લૂખો છે. ભલે શુભ હોય પણ લૂખો અને ચંચળતાવાળો છે. શાંતિ અને અચંચળતા એમાં બિલકુલ નથી. આહા....! આવી વાતું છે. શુભ રાગ હોં ! આ ક્રિયા ! આ બધી શુભની ક્રિયા છે ને ! (તેની વાત કરે છે). ધર્મ તો શુભથી પર છે. અંદરમાં ધર્મ છે. ધર્મ કાંઈ બહારથી થાતો નથી. (ધર્મીને પણ) એ શુભ ભાવ વચ્ચે આવે. પૂર્ણ (વીતરાગતા) નું હોય ત્યાં આવ્યાં વિના રહે નહિ. પણ (એ)-લૂખા–લાગે, એમાં ચીકાશ હોય, એમાં રસ ન હોય, એમાં એકાકાર ન હોય, આહા..હા..! અને અજ્ઞાનીને તો શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. આહા..હા...
C
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે “તારું નામ શું ? તો કહે “મારી બાજી, તારું ગામ
ક્યું ? તો કહે “મારી બા, ‘તારાં માતા-પિતા કોણ ? તો કહે “મારી બા'; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે જ્ઞાયકસ્વભાવ....જ્ઞાયકસ્વભાવ . એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે.” ૪૩.
N
o o o o o
૪૩ (બોલ). જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય....” માતાની આમ આંગળી ઝાલીને ચાલતાં હોય, ઝાઝા માણસમાં આંગળી છૂટી ગઈ અને મા આઘી ચાલી ગઈ ને છોકરો ક્યાંક દૂર રહી ગયો. આ તો અમે પોરબંદરમાં નજરે જોયેલું. પોરબંદર ચોમાસું હતું. એક છોડી ખોવાઈ ગયેલી.