________________
૧૫૩
વચનામૃત રહસ્ય નથી (પણ) છોડતો જાય છે. અંતર સ્વરૂપમાં જવા પ્રયત્ન કરી રહ્યો છે. તેથી તે રાગને છોડતો જાય છે. આહા..હા..! છે ?
“..સાધ્યનું લક્ષ ચૂકતો નથી.' સાધ્ય નામ ધ્રુવ જે ધ્યેય - સત્ ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ આનંદકંદ ભગવત્ સ્વરૂપ તે સાધ્ય છે, તે ધ્યેય છે, તેને ધર્મી ચૂકતો - ભૂલતો નથી. આહા...! શુભ ભાવ આવે, તો પણ તે શુદ્ધ ધ્યેયને ચૂકતો નથી. એનું નામ સાધક દશા અને ધર્મ દશા કહેવામાં આવે છે. આહા..હા..હા...! છે ? “....સાધ્યનું લક્ષ ચૂકતો નથી.'
(હવે) દૃષ્ટાંત (દે છે). જેમ મુસાફર....' રસ્તામાં નીકળેલો મુસાફર - માણસ, ...એક નગરથી બીજા નગરે જાય.... એક નગરથી બીજા નગરે જાય છતાં ....ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે....” (અર્થાતું) જ્યાં જવું છે તે નગરનું ધ્યેય છે. વચમાં બીજાં) નગર આવે તેને છોડતો જાય. આહા..હા..! સાધક દશા, બાપુ ! (કોઈ અલૌકિક છે) !
અનંતકાળમાં તેણે ધર્મનું ધ્યેય જે આત્મા (એને) લક્ષમાં લીધો નથી. બાકી બધા ક્રિયાકાંડ અને શુભ – અશુભ ભાવ અનંતવાર કરીને અનંતવાર સ્વર્ગ ને નરકમાં ગયો છે. આહા..! કેમ કે દેહ છૂટતાં (તો) દેહ છૂટશે પણ આત્મા કાંઈ છૂટશે ? નાશ પામશે ? લોકો દેહ છૂટતાં એમ કહે કે, એ...જીવ ગયો ! એમ કહે ને ? કે જીવ મરી ગયો એમ કહે ?
મુમુક્ષુ : પાછો થયો એમ કહે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : સાચી વાત છે. પાછો થયો એટલે બીજો ભવ ધારણ કરશે. ભાઈનું કહેવું સારું છે. પાછો થયો– (એમ) કહે છે. એક ભવમાંથી - અહીંથી દેહ છૂટ્યો એટલે બીજા ભવમાં જશે જ. કારણ કે (આત્મા) નિત્ય વસ્તુ છે અને અંદર (નિત્ય) વસ્તુનું સ્મરણ કે ધ્યાન નથી, શું ચીજ છે તેની ખબર નથી, એથી નરક ને નિગોદ કે એકેન્દ્રિયમાં ‘પાછો થયો - એટલે મરીને ત્યાં જાશે. આ..હા...હા..! છે ?
– જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી, જ્યાં જવું છે.... આ..હા..હા..! જે નગરમાં જવું છે તે ધ્યાનમાંથી ચૂકતો નથી. વચમાં ગમે તે તેટલાં શહેર આદિ આવે, પણ ત્યાં જોવા રોકાતો નથી. આહા..હા..! ....તેનું જ લક્ષ રહે છે. જે ઠેકાણે જાવું છે તેનું જ લક્ષ રહે છે. વચમાં ગમે