________________
કે “સાધનદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. - જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે. ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે.” ૪૦.
0િ••••
----
પ્રવચન-૯, વચનામૃત- ૪૦ થી ૪૪
- વચનામૃત, ૪૦ મો બોલ. ૩૯ ચાલ્યાં છે. (હવે) ૪૦. આ તો શાંતિનો માર્ગ છે, ભાઈ ! ધીરજથી (સમજવા જેવો છે.
સાધકદશામાં.... શું કહે છે ? આત્મા પરમાનંદ શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થઈ, તેનો આદર થયો, તેનો સ્વીકાર - સત્કાર થયો અને રાગાદિનો આદર છૂટી ગયો. તેને અહીંયા સાધકદશા - ઘર્મને સાધનારી દશા કહેવામાં આવે છે. આહા..હા...!
‘સાધનદશામાં...' સાધકદશા એટલે આ ! અંતર શુદ્ધ સ્વરૂપ છે, તેના ઉપર દૃષ્ટિ પડી છે અને તેના તરફના પ્રયત્નમાં પડ્યો છે, તેને સાધક (કહીએ), ધર્મનો કરનાર સાધકજીવ કહીએ. આ એની શરત છે. સાધકદશાની આ શરતું છે, આ..હા..હા..! તેને ..શુભ ભાવ વચ્ચે આવે છે . ધર્મીને પણ ભક્તિનો, પૂજાનો વગેરે શુભ ભાવ આવે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ (થયાં) નથી, ત્યાં સુધી એને શુભ ભાવ આવે. છે (અંદર) ?
..પણ સાધક તેને છોડતો જાય છે... આ..હા..હા..! એનો આદર કરતો