________________
૧૫૦
[વચનામૃત-૩૯] વિચાર કરે...! દ્રવ્યસંગ્રહમાં છે. દ્રવ્યસંગ્રહ લાવ્યાં છો ? છે એમાં, ‘અવાયનું કાઢો...! એમાં ધર્મધ્યાનનો અવાયનો વિચાર છે. અમારે તો હજારો ગ્રંથો વંચાઈ ગયાં છે ને ! હજારો ! કરોડો શ્લોકો...! એમાં એક લેખ છે - ધર્મધ્યાનનો ! અવાય વિચય - સમકિતી રાગથી ભિન્ન પડીને જ્યારે આત્માનો વિચાર કરે છે, “અવાય’ એટલે વિચાર કરે છે . “હું શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ છું અને હું હવે પૂર્ણ થવા માગું છું, મારી દશા હવે સિદ્ધ થવાની છે. મારી તો થવાની છે. પણ એ એવો વિચાર કરુણાથી કરે છે કે બધાં આત્માઓ ભગવાન થાઓ !!! આહા...! એમ છે. અંદર, જુઓ ! ધર્મધ્યાન છે.
તેવી જ રીતે વિરાગી રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય જીવોના કર્મોનો નાશ ક્યારે થાય ? તે પ્રકારનું ચિંતન તેને અવાય વિચય કહે છે. કોઈ પ્રાણી રખડો ને દુઃખી થાઓ એમ ધર્મી વિચાર ન કરે. આહા..હા...! આમાં છે. અમારા અને બીજાનાં જીવોનાં કર્મોનો નાશ
ક્યારે થાય ? એ પ્રકારનું ચિંતન અવાય વિચય નામનું બીજું ધર્મધ્યાન જાણવું. દ્રવ્યસંગ્રહ છે. છ દ્રવ્યની વ્યાખ્યા છે, એમાં ધર્મધ્યાનના “અવાય બોલની વ્યાખ્યા છે.
'અમે પણ ચેતન પ્રભુ છીએ. અમે પણ પૂર્ણ પરમાત્મા થવાના છીએ અને બધાં આત્માઓ પૂર્ણ થાઓ ! ભગવંત થાઓ ! એવી ભાવના ધર્મીને હોય છે. કોઈ પ્રાણી દુઃખી થાવ ને રખડો, આહા..હા..! એવા વિચારની ભાવના ધર્મીને હોતી નથી. એવું અહીં છે. ગાથા છે. કઈ ગાથા છે ? ૪૮મી ગાથા છે. ૪૮ ગાથા દ્રવ્યસંગ્રહ ! શું કહ્યું સમજાણું એમાં ? આહા...!
રાગથી ભિન્ન પડીને આત્માના વિચારની ધારા વહે છે ત્યારે ધર્મી એમ વિચારે છે કે, હું હવે પૂર્ણ થવાનો છું, પરમાત્મા થવાનો છું ! ભલે એક બે ભવ કરવા પડે પણ અંતે મારી દશા સિદ્ધ થવાની જ છે. હું તો સિદ્ધ થઈશ પણ બધાં જીવો કર્મોનો નાશ કરીને સિદ્ધ થાઓ ! આ..હા..હા..હા..! એવું લખાણ છે. બધાં જીવો...! આહા..હા..! ધર્મધ્યાનનો બીજો બોલ ! આર્તધ્યાન), રૌદ્રધ્યાન એ છોડવા લાયક છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન આદરવા લાયક છે. ધર્મધ્યાન પહેલે નંબરે આદરવા લાયક છે. શુકલધ્યાન સર્વથા આદરવા લાયક છે. એ ધર્મધ્યાનના અવાયનો આ બોલ છે.
કર
--
-
*
આહા..હા..હા..!