________________
૧૫૮
વિચનામૃત-૪૧] ને આ કરવું એ પૂછો છો ! તમે શું કરો છો આ ? તળાઈમાં સૂતેલો (અને આ રોગ...! અને આંખમાંથી પીડાના આંસુ ચાલ્યાં જાય....! મ્યુનિસિપાલિટીનો મોટો નાયક હતો અને એ જ વખતે રેલના મોટા નાયક હોય છે ને, એ આવ્યો અને કહે કે “રાવ સાહેબનો ઇલકાબ એને મળે છે !” હવે અહીં મરે છે ! “રાવસાહેબનો ઇલકાબ સરકાર તરફથી એને આજે મળે છે !” હું ત્યાં બેઠેલો. એની વહુ એને પૂછતી હતી. મેં એને કહ્યું “એલા ! પણ તમે શું કરો છો આ તમે આને ?” (એ પૂછતી હતી) ‘અમારે આ છોકરાનું શું કરવું ? પછી આનો ભાગ કેમ પાડવો ? દીકરાને શું દેવું ? સાળાને શું આપવું ? આ માંડી તેં, પણ ઓલો ક્યાંક મરીને જાય છે !
નિયમસારમાં કહ્યું છે, કુટુંબી - મા-બાપ તો ઠીક પણ દીકરા, દીકરી ને વહું. બધાં - એ તને ધુતારાની ટોળી મળી, પ્રભુ ! નિયમસારમાં છે. કુંદકુંદઆચાર્યનું નિયમસાર શાસ્ત્ર છે ને ! એમાં એમ લખ્યું છે કે, એ બધી ધુતારાની ટોળી છે ! તને ધૂતવા માટે બેઠાં છે ! તારું શું થાય ? તેની કાંઈ ચિંતા નથી.. અમને સગવડતા આપો અમને આ ફલાણું આપો..અમને આ ફલાણું આપો...! એ આજીવિકા માટે મળેલી) બધી ધુતારાની ટોળી છે ! આ...હે...!
એ ટાણે પણ જો ધર્મી - સાધક હોય તો પરની સામું ન જોતાં, અંદર પોતાના ધ્યેયને પકડે. અખંડાનંદનો નાથ, સત્ ચિદાનંદ પ્રભુ ! એને અંદર પકડીને બહારની દરકાર છોડી દે. એ અહીંયા કહે છે કે, ભાવના હોય તો માર્ગ થાય જ. અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ,
/ “યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને : ઉપશમરસથી તરબોળ હોય છે; અને યથાર્થ રુચિ
વિના, તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે.” ૪૨.