________________
ના
વચનામૃત રહસ્ય
૧૫૭ રુચિ જામી છે. એ લાગી છે એ લાગી છે), હવે એ છોડી (છૂટે નહિ), કોઈ એ છોડાવી શકવા સમર્થ છે નહિ ! આહા..! ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ આવે છતાં આનંદની લાગી છે તે છૂટશે નહિ અને આનંદમાં વૃદ્ધિ કરીને આગળ ચાલ્યો જશે. પણ અંતરની તાલાવેલી લાગવી જોઈએ. બાપા ! આહા..હા..! જેમ આ ધૂળની તાલાવેલી લાગી છે....! ધૂળ..ધૂળ...! તમારી ! આ પૈસા....!
શરીરમાં ખીલો વાગે કે ચૂક વાગે, કાટ...કાટ... (વાગે) ત્યારે કોઈ એમ કહે કે, મારી માટી પાણી છે તો પાણી અડવા દેશો નહિ. કહે છે ને ? મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એ વખતે એમ કહે કે, આ માટી છે અને વળી સમજે કે શરીર મારું છે !! મારી માટી પાકણી છે, ખીલો વાગ્યો છે, અંદર કાટ છે. માટે પાણી અડવા દેશો નહિ. પાણી અડશે તો પાકી જશે. એમ બોલતાં મારી માટી પાકે એવી છે, એમ બોલે છે. પણ આમ જુઓ તો કહે, માટી-શરીર હું છું. અંદર આત્મા કોઈ ચીજ છે, એ ભૂલી જાય ! આ..હા..હા..!
આ તો ધૂળ-માટી છે. આ તો મસાણમાં રાખ થવાની છે. અગ્નિ નીકળવાની છે અહીંથી ! આ...હા.હા..! આ જ ભવમાં ! આ જ ભવમાં કે નહિ ? અગ્નિ ફૂટશે, બાપા ! સળગશે આ...! આ..હા..હા...! અંદર ચૈતન્ય ભગવાન છે એની જેને લગની લાગી નથી, એ મરણ ટાણે ત્યાં મરી જશે. શરીરમાં પોતાપણું) માનીને !! તેને આત્માની તાલાવેલી લાગી નથી. અહીં કહે છે કે, જેને આત્માની તાલાવેલી લાગી છે, એ મરણ ટાણે પણ તેના ઉપર ધ્યાન આપતો નથી ! આ...હા..હાં...!
રાજકોટમાં એક મ્યુનિસિપાલિટીનો મોટો માણસ હતો. એ ક્યાંક જાનમાં ગયેલો (ત્યાં) મિષ્ટાન્ન ખાધેલું, એમાં આખા શરીરમાં કફ થઈ ગયો ! પછી આમ શ્વાસ ઉપડ્યો ને દુઃખનો પાર ન મળે ! આહા..હા...! (પછી કહ્યું, મહારાજને બોલાવો !” (પોતે) શ્વેતાંબર હતાં. પણ એમને બધાંને તો મારા ઉપર પ્રેમ હતો. શ્વેતાંબર હતાં પણ કહે, “મહારાજને બોલાવો ! માંગલિક સાંભળીએ !” હું જ્યાં ગયો, ત્યાં ખાટલે એની સાથે એની વહુ બેઠેલી, બધું પૂછતી હતી કે, આનું ? આનું શું ? મેં કીધું - અરે....! પણ હવે મરવા બેઠો, આ શરીર છૂટે છે, રોવે છે આ, અને પાછળથી આ કરવું
-
-
--