________________
૧૫૪
[વચનામૃત-૪૦] તે આવે..... આહા...હા...! સડક ઉપર ચાલતાં ઝાડના છાંયા આવે ઝાડ વાવ્યા હોય અને આમ ચાલતો જાય એમાં વચ્ચે) છાયા આવે, પણ એ છાયા છોડતો જાય છે. છાયામાં રોકાતો નથી. જે ઠેકાણે એને જાવું છે તે ધ્યેય ચંતો નથી. આ..હા..હા...!
એમ ધર્મી સાધક જીવ આત્માના પૂર્ણાનંદના ધ્યેયમાં બહારના કારણો આવી પડે એને છોડતો જાય છે, પણ અંતરમાં શુદ્ધિાની) વૃદ્ધિ(ના) પ્રયત્નમાં ચાલ્યો જાય છે. આ..હા..હા..!
બેનની ભાષા સાદી છે પણ અંતરન છે. અનુભવ માટે કોઈ વિદ્વત્તાની જરૂર નથી કે કોઈ બહુ વિદ્વાન હોય તો એ અનુભવી શકે. અંદરનો અનુભવ એ વિદ્વત્તા માગતો નથી. અંતરની દૃષ્ટિ અને રુચિ માગે છે. આહા..હા..!
અંતર ભગવાન સત્ ચિદાનંદ પ્રભુ ! એક સમયની પર્યાય - વર્તમાન અવસ્થા તેના પાતાળમાં એટલે અંદરમાં, એના પાતાળમાં જતાં એનું તળ હાથમાં આંવતાં તેની (ધર્મીની) દષ્ટિ ત્યાં પડી હોય છે. આહા..હા..! એથી વચમાં શુભ ભાવ આવે; અહીં તો એ જ વાત કરી છે, પણ અશુભ(ભાવ) પણ આવે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી વચમાં શુભ ભાવ પણ આવે પણ ત્યાં રોકાય નહિ. મારે જ્યાં જાવું છે તે આ નહિ. આ..હા..હા..!
જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ ! જેના ધ્યેયમાંથી ધ્રુવ ખતો નથી. જેના ધ્યેયમાંથી ધ્રુવ - નિત્યાનંદ પ્રભુ જેના ધ્યેયમાંથી ખસતો નથી. એ ગમે તેવા પ્રસંગ આવે તે પ્રસંગને એ છોડતો જાય છે અને ધ્યેયમાં પહોંચવા માટે (તે)તેના લક્ષમાં હોવાથી ત્યાં ચાલ્યો જાય છે. આ..હા..હા...! આવી વાત
....જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે. એટલા શબ્દોમાં તો ઘણું ભરી દીધું છે !!