________________
વચનામૃત રહસ્ય
૧૩૩
નહિ. (અમે પૂછીએ) શું છે ? (તો કહે) ત્યાં ભૂતડાં છે. ઓલા હાડકાં પડ્યાં હોય ને એની ફાસ-ફૂસ નીકળે ને ! શું કહેવાય એ ? (ફોસ્ફરસ) હાડકાં પડ્યાં હોય ને એમાંથી ચકમક - ચકમક નીકળે. એટલે બાળકને એમ કહે એ ભૂતડાં છે ! તને ખાઈ જશે, ત્યાં ન જાઈશ ! આ તો બાળકની ઉમરની વાત છે. એમ આ બધાં મસાણના ભૂતડાં છે ! જો એમાં પકડાણો તો મરી જઈશ !! અંદર ચૈતન્ય સ્વરૂપને પકડ તો તને આનંદ ને શાંતિ મળશે !! વગેરે કહેવાશે....
જ્ઞાયકસ્વભાવનું જ્યાં અંતરમાં ભાન થયું, જાણનારો જાગીને ઊઠ્યો કે હું તો એક જ્ઞાયકસ્વરૂપ છું–એમ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનધારાને કોઈ રોકી શકતું નથી. ગમે તેવો રોગ આવે પણ એ તો શરીરમાં છે. એ ચાં આત્મામાં છે ? રોગ છે તેને આત્માએ જાણ્યો છે પણ એમાં ભળીને આત્માએ જાણ્યું નથી, (પરમાગમસાર-૩૮૭)