________________
પ્રવચન-૮, વચનામૃત-૩૬ થી ૩૯
ન
= નામ.
વાત છે ભગવટાવતો નથી અને ઉપયોગને પલટાવટાવા માગે છે ?
વચનામૃત ૩૬મો બોલ (ચાલે છે). સાદી ભાષા છે પણ અંદર ઊંડાણમાં રહસ્ય છે. જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે..... શું કહે છે ? જે જાણવા-દેખવાનો આ વેપાર છે (એટલે કે) ઉપયોગ એ જે પર તરફ છે, એને પ્રથમ અંતરમાં વાળવા માગે છે. આહા..હા...! “....પણ અંતરંગ રુચિને પલટાવતો નથી... શું કહે છે ? (કે) ઉપયોગને પલટાવવા માગે છે કે પર તરફથી ખસીને અંદરમાં આવું પણ રૂચિને પલટાવતો નથી. રૂચિ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, જ્ઞાયકસ્વરૂપ છે. એની તરફની રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવવા માગે છે. (તો). તે ઉપયોગ નહિ પલટે, ઝીણી વાત છે, ભગવાન ! આહા..હા...! - રુચિને પલટાવતો નથી એટલે) અંતર આનંદસ્વરૂપ ભગવાન એનું પોષાણ ને રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવવા માગે છે, એટલે જાણપણાના ભાવને પરથી (ફેરવી), સ્વમાં લાવવા : પલટાવા માગે છે પણ રુચિ કર્યા વિના તે પલટશે નહિ. રૂચિ અનુયાયી વીર્ય અંતર આનંદ સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ એની એને રુચિને પોષાણ થાય તો ઉપયોગ અંદર જાય. પરમાંથી (ખસીને) સ્વમાં જાય પણ રુચિ જ પલટે નહિ તો એનો ઉપયોગ પલટી શકશે નહિ. ઝીણી વાત છે. આહા...હા..! આમાં બહારનું શું કરવું ને ? ક્યાં જવું આખો દિ આ ધંધા-પાણી ને વેપાર... આહા..હા...!
(કોઈ) કહેતા કે આખો દિ’ આ પાપમાં પડ્યા છીએ. આ તો બીજી જાત છે, ભગવાન ! અહીં તો જેને જન્મ-મરણનો અંત લાવવો હોય તેના માટે વાત છે, કારણ કે આ દેહ છૂટ્યા પછી જાવું તો છે ક્યાંક. દેહ છૂટે પણ આત્મા છૂટી જશે ? આત્મા તો નિત્ય છે. તો જશે ક્યાં ? દેહ છૂટ્યા પછી આત્મા નિત્ય છે. એ જશે ક્યાં ? એનો વિચાર આવ્યો છે ? કે આ દેહ છૂટ્યા પછી હું ક્યાં જઈશ ? ક્યાં અવતરીશ. ? ક્યાં મારી દશા થશે ? એ વિચાર આવે તો પર તરફનો ઉપયોગ છે તેને સ્વ તરફ