________________
વચનામૃત રહસ્ય
૧૪૧
કીધું કે મોટી....મોટી.... માગણ કરે, ઝાઝી માગણ કરે એ મોટો ભિખારી !! વીતરાગ તેને પાપના સ્વામીને પાપી કહે છે. અને પુણ્ય કરે અને પુણ્યનો ધણી થાય તો તે પુણ્યનો સ્વામી પણ જડ છે !! કેમકે પુણ્ય પણ શુભભાવ (છે). (એ શુભ) રાગ ચૈતન્યના અભાવ સ્વભાવ છે. એ રાગ (એટલે કે) ચૈતન્યના અભાવ સ્વભાવને પોતાનો માને તે અજીવ થઈ જાય છે. માન્યતામાં અજીવ થઈ જાય છે હોં ! કાંઈ જીવ પલટીને અજીવ થઈ જતો નથી. આહા..હા..! આકરી વાત છે ! આફ્રિકામાં નાઈરોબીમાં આ વાત સાંભળવી....! આકરી વાત, ભગવાન !
અહીં તો આખા કાઠીયાવાડમાં (ફર્યા છીએ). મોટા-મોટા શહેરો કલક્તા, દિલ્હી બધે ગયેલા છીએ. બધે હજારો માણસો (આવે). બબ્બે હજા૨, પાંચપાંચ હજાર, દસ-દસ હજાર માણસો સભામાં હોય છે વાત તો રુચવી, ગોઠવી એ બહુ અલૌકિક વાત છે
આહા..હા..! આ
!!
અહીં તો અબદ્ધ ને જ્ઞાયક છું - એવો વિકલ્પ પણ દુઃખરૂપ લાગે છે. આહા..હા..! પૈસો, લક્ષ્મી કે આબરૂ કે મણી-રત્નનાં ઢગલાં કે પટારાં ભર્યાં હોય... મણી રતનનાં....! આહા..હા..! એ બધાં સોના ને રત્ન ને મણી રત્નના પટારાં ભર્યાં હોય પણ (એ બધાં) ભિખારાં છે. પ૨નાં માગણ (છે), ૫૨નું માગે (છે). અહીં તો (કહે છે) જ્ઞાયક ને અબદ્ધ છું એવો પણ વિકલ્પ કરે તો એ દુઃખરૂપ ને વિકારી છે. આહા..હા..!
ગયા
શ્વેતાંબરમાં એક નથી કહેતાં શું કહે છે ? વસ્તુપાલ ને તેજપાલ ! કરોડો રૂપિયા (હતાં). (એ લોકો) જાત્રા કરવાં નીકળ્યાં. કેટલાં (રૂપિયા હતાં) ? તો અબજો રૂપિયા ! પોતાના મકાનમાં જગ્યા ખાલી હશે. ત્યાં ખોદીને દાટવા એમ કે આપણે બહાર જાવું છે ને અહીં રૂપિયા આમ ખુલ્લા પડ્યાં રહેશે (એના કરતાં) અહીં દાટી દઈએ. એ ખોદવા જાય છે ત્યાં (બીજા) કરોડો ને કરોડો રૂપિયા નીકળ્યાં !! હજી તો એ દાટવા જાય છે ત્યાં કરોડો નીકળ્યાં ! બૈરાં એમ કહે છે...! બૈરાં..! કે તમને આ ખોદવામાં આટલાં નીકળ્યાં (તો) તમે દાટો છો શું ? અહીં વાપરોને ધર્મને નામે, તો પુણ્ય તો થશે. આ પાપ તો એક કોર રહી ગયું તારું ! આહા..હા...! બૈરાંએ એને કહ્યું ! આહા..હા...!
અહીં કહે છે કે અબદ્ધ ને જ્ઞાયક (છું) એવાં વિકલ્પ પણ દુઃખરૂપ
-