________________
૧૪૨
[વચનામૃત-૩૭]
લાગે આ..હા..હા..! ત્યારે એને અંતર સ્વભાવ સન્મુખ થવાની દૃષ્ટિ જાય આહા..હા...! એવાં તો ઘણાં જીવો છે. ઘણાં જોયાં....ઘણાં જોયાં છે, આખું કાઠીયાવાડ (જોયું છે). ઘણાં મોટા મોટાં રાજાઓ પણ વ્યાખ્યાનમાં આવે. લખતર, વઢવાણ બધે અમે જઈએ તો વ્યાખ્યાનમાં તો આવે જ તે. સાંભળ્યું ન હોય કોઈ દિ' પણ સાંભળીને બિચારા(ને એમ લાગે) આ શું વાત કરે છે આ મહારાજ ! એને કાંઈ લેવું-દેવું નથી ને આ કહે છે શું ?
માર્ગ આ છે ! દેહ છૂટી ને જાવું છે ક્યાંક (તો) એ ઉતારા ક્યાં ક૨વા છે તારે ? દેહ તો છૂટી જશે. આ તો જડ છે - માટી (છે). એની મુદત છે. એ મુદતમાં એક સમય પણ વધે એવું નથી. જેટલાં દિવસો ને મહિના જાય છે એ બધાં મૃત્યુની સમીપ જાય છે. જે એનો - મૃત્યુનો નિયમ છે - જે સમયે, જે ક્ષેત્રે, જે કાળે, જે પ્રમાણે (દેહ છૂટવાનો) તેની સમીપ આ આયુષ્ય જાય છે. એ એના સમીપે જાય છે. “મા” કહે છે કે મોટો થયો. પ્રભુ કહે છે કે મૃત્યુની સમીપ ગયો ! અરે...અરે... આ વાત ! દુનિયાથી ઊંધી છે !
અહીંયા તો બેન એમ કહે છે કે તું અબદ્ધ છું, જ્ઞાયક છું - અહીં સુધી આવ્યો હો તોપણ તે વિકલ્પ દુઃખરૂપ છે. આહા...હા...! શાંતિ મળતી ની......' એ વિકલ્પમાં પણ શાંતિ નથી પ્રભુ ! આહા..! ભગવાન અંદર શાંતિનો સાગર, આનંદનો સાગર બિરાજે એને તું વિકલ્પથી પકડવા જા (તો એમ એ) નહિ પકડાય, પ્રભુ ! આહા..હા..! શુભરાગની લાગણી છે, એ દુઃખરૂપ છે (અને) ભગવાન આનંદ રૂપ છે તો દુ:ખથી આનંદ નહિ ભળી શકે, આહા..હા...! દુઃખથી આનંદ મળે ? દુઃખનું સાધન રાગ અને એનાથી નિર્મળ આનંદ મળે ? કહે છે કે વિકલ્પ છે તે દુઃખરૂપ છે, શાંતિ મળતી નથી. આહા..હા...! અહીં સુધી આવ્યો તો પણ કહે છે કે, શાંતિ મળતી નથી. હજી બહારમાં રખડપટ્ટી કરે છે એની તો વાત જ શું કરવી ? એ તો દુઃખનાં પોટલામાં પડ્યાં છે હજી !
‘.....વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે,....’ આહા..હા...! અંતર્મુખ જવામાં શાંતિનો સાગર ભગવાન આત્મા ! અરે...! કેમ બેસે ? મોટો દરિયો - સમુદ્ર હોય, એને કાંઠે ગયો હોય અને એક ચાર હાથનો....! શું કહેવાય એ ? પરદો પડ્યો હોય. ચાર હાથનો પરદો હોય. (તો) એની નજરમાં એ પરદો