________________
" ૧૪૪
વિચનામૃત-૩]
અન્ય
નાના
નામ . "
-
-
-
-
-
-
ભગવાન આત્મા આબાળ-ગોપાળ ને (અનુભવમાં આવી જ રહ્યો છે. એ ૧૭-૧૮ ગાથી આવશે. આમાં તો (હજી) ૧પમી લેવાની છે ને ? ૧૪મી પછી ૧૫મી પછી ૧૭-૧૮ (છે) એમાં આવે છે . “આબાળ-ગોપાળ ! ૧૭૧૮ વાંચનમાં લેવું એમ તમે) લખ્યું છે.
ત્યાં એવું લીધું છે - આબાળ-ગોપાળ , બાળકથી માંડીને વૃદ્ધને એની જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. થોડી ઝીણી વાત છે. ૧૭.૧૮ ગાથામાં આવશે. એ જ્ઞાનની પર્યાય - દશા જે છે એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, તે જ્ઞાનની પર્યાયમાં પ્રભુ જણાય છે પણ તારી નજર ત્યાં નથી. આ..હા..હા..! સમજાય છે કાંઈ ? જે જ્ઞાનની પર્યાય છે ને ! આ વિચાર - જે વ્યક્ત જ્ઞાન (છે). જે જાણવાની પ્રગટ . પ્રગટ પર્યાય છે ને ! એ પર્યાયનો સ્વભાવ સ્વપર જાણવાનો છે. ભગવાન ત્રિલોકનાથનો પોકાર છે કે એ અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય પણ આત્માને જાણે છે. અજ્ઞાનીના જ્ઞાનની પર્યાય પણ ત્રિકાળી - ત્રિલોકના નાથ આત્માને જાણે છે. છતાં તેની નજર ત્યાં નથી, એથી પર્યાયમાં રોકાતાં, રાગમાં રોકાતાં નજરે ચીજ પડી છે એને જોતો નથી. આહા..હા..! આકરી વાત છે ! આ તો કરડો પુરુષાર્થ ઉપાડે તો આ કામ ચાલે એવું છે. સાધારણ પુરુષાર્થથી આ કામ ચાલે તેવું નથી. આહા..હા..હા..!
અહીં તો ધર્મની વાત છે, પ્રભુ ! જેનાથી ભવ ઘટે ને ભવનો નાશ થાય એ વાત છે. ભવ કરશે તો નિગોદમાં જાશે. આહા..હા...! પહેલાં કહ્યું ને ? ત્રસમાં રહે તો ૨000 સાગર રહેશે. આ નિગોદમાંથી - એકેન્દ્રિયમાંથી બહાર આવ્યો છે ને ! એ બહારમાં ૨૦૦૦ સાગર રહેશે. એ ૨OOO સાગર જો આ મમતા ને મમતામાં પૂરા થયાં (તો) પાછો નિગોદમાં જાશે. એ લસણ ને ડુંગળીમાં જવાના ! આ..હા..હા..! આવ્યું છે ને ? બે હજાર સાગરની) ત્રસાની સ્થિતિમાં મનુષ્યનાં ભવ કરે તો ૪૮ (ભાવ) કરે. મનુષ્યનો ભવ ઉપરા ઉપર કરે તો આઠે કરે. આ મનુષ્ય મરીને મનુષ્ય, મનુષ્ય મરીને મનુષ્ય એવી રીતે કરે તો આઠ ભવ કરે. એવો શાસ્ત્ર પાઠ છે. એવા આઠ ભવ અનંતવાર થઈ ગયાં, અનંતવાર...! પણ ૨૦૦૦ સાગર જે ત્રસની સ્થિતિ છે. ત્રસમાં ૨૦OO(સાગર) રહે છે, એમાં પણ ૮-૮ મનુષ્યનાં ભવ કરતાં, ૬ વાર ૮-૮ એટલે ૪૮ ભવ કરે. સમજાણું કાંઈ ? શું કહ્યું છે?
કર =