________________
વચનામૃત રહસ્ય
૧૩પ વાળવા મથે પણ રુચિ પલટે નહિ તો સ્વમાં ઉપયોગ જઈ શકે નહિ. આહા..હા..હા..! છે ?
.તેને માર્ગનો ખ્યાલ નથી.” આહા..હા...! અંતર આનંદ સ્વરૂપ ભગવાન એ તરફની રૂચિ નથી. તો જાણવા. દેખવાના ઉપયોગને પલટાવી શકતો નથી. એ બહારમાં જ પલટા માર્યા કરશે. રાગ ને દ્વેષ ને વિકલ્પ ને સંકલ્પવિકલ્પ, રતિ ને અરતિ ને શોક ને દુઃખમાં જ પલટા માર્યા કરશે). ઝીણી વાત છે પ્રભુ ! પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે.” . - રુચિ અંદર થવી જોઈએ. બહારનો જે રસ લાગી ગયો છે. આખો દિ' તેના જ રસના વિકલ્પ આવ્યાં કરે છે, આહા..હા...! આત્મા અંદર જ્ઞાયક સત્તાસ્વરૂપ વસ્તુ છે એની રૂચિ જાગે તો ઉપયોગ પલટી શકે, તો જાણવાનો ઉપયોગ સ્વ તરફ ઢળે. આહા..હા..! તે પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. આત્મા - રુચશે (એટલે કે જો આનંદ અને જ્ઞાન (રુચશે) તો એનો વર્તમાન વેપાર " પર તરફ ઢળ્યો છે, એ સ્વ તરફ ઢળ્યા વિના રહેશે નહિ. આહા..હા..હા..! કે આવી વાત છે ! શું કરવું ? આ બહારનું કંઈક કરવું કે એમાંથી કોઈક
થાય એવું છે ? બહારની તો ધમાધમ હાલે છે, બાપુ ! અંદરમાં ઉપયોગનો પેલટો મારવો એ કરવાનું છે. પણ એ ઉપયોગનો પલટો ક્યારે થાય ? એને અતર સ્વભાવનું માહોભ્ય આવે કે હું એક આનંદ ને સહજાનંદ અનંત ગુણનો પિડે છે. એ મારી સત્તા ને એ મારું સત્ ને એ મારું સત્ત્વ છે. આત્મા સત્ છે અને અનંત ગુણ તેનું સત્ત્વ છે. સત્ નું સત્ત્વ એ છે.
આમ તો પર્યાયને પણ સત્ત્વ કહ્યું હતું. આવ્યું હતું ? છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં આવ્યું હતું. પણ એ એક સમયની પર્યાયનું સત્ છે અને વસ્તુ છે એ ત્રિકાળી સત્ છે. સતુનું ત્રિકાળી સત્ત્વ એટલે ગુણ છે. એ જ્ઞાન ને આનંદ જે સનું સત્ત્વ છે, એની જો રુચિ થાય તો તે ઉપયોગી પલટી શકે. ઉપયોગનો પલટો સહજ થઈ જશે.
માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. આહા..હા..! માર્ગની વિધિનો યથાર્થ ક્રમ આ છે. એ વિના બીજું કરવાં જશે તો થશે નહિ. આહા..હા..! આકરું કામ બહુ !
-
----
ન
-
-
ર
--
*
--
----
--
-
*
R
જ
જ