________________
- -
-
૧૩૬
- [વચનામૃત-૩૬] અનંતકાળ થયા જન્મ-મરણ કરતાં-કરતાં) આહા..હા...! ત્રસની સ્થિતિમાં બે હજાર સાગર રહે, શું કહ્યું ? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય પંચેન્દ્રિય - આ ત્રસ છે. મનુષ્ય નારકી, દેવ, તિર્યંચ - પશુ, એ ત્રસમાં બે હજાર સાગર જ રહે. એ બે હજાર સાગરમાં (મળેલાં) મનુષ્યપણામાં જો કાંઈ ન કર્યું (તો) નિગોદમાં જશે. સમજાય છે કાંઈ ?
પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથે કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું - પ્રભુ ! તું એકેન્દ્રિયમાંથી નીકળીને માંડ ત્રસમાં આવ્યો અને એ ત્રસની અંદરમાં બે ઇન્દ્રિય થી પંચેન્દ્રિયના ભવ ઝાઝાં હોય તો બે હજાર સાગર કરીશ, પણ પછી તો નિગોદમાં જઈશ. જો આ મનુષ્યનું કર્તવ્ય (એટલે કે) આત્માનો અનુભવ ન કર્યો, આત્માની પ્રતીતિ, વિશ્વાસ ને અનુભવ ન ર્યો તો તે પરિભ્રમણમાં નિગોદમાં જશે. આ...હા..હા...! કેમકે દેહ નાશ થશે પણ આત્માનો કાંઈ નાશ થાય એવો નથી. તો (આ) દેહ (છૂટી ગયા પછી જશે ક્યાં ?-જેને જેની રુચિ તેનામાં તેનો જન્મ થાશે. આહા..હા..હા..! આકરી વાત છે. જગતમાં (જીર્વો) આ બહારમાં મજામાં ને બહારના મોહમાં મૂંઝાઈ
ગ્યાં. અંતર વસ્તુ રહી ગઈ. સાધુ થયો હોય તો પણ અંતર (વસ્તુ) રહી ગઈ ! અંતરનાં માહાસ્ય જે જોઈએ તે માહામ્સ આવ્યાં નહિ. આહા..હા..!
એ (અહીં કહે છે, “માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે.” ઉપયોગ એટલે જાણવા દેખવાનો જે ભાવ છે તે અનાદિથી પર તરફ વળેલો છે. એને સ્વ તરફ વાળવો હોય તો ચૈતન્ય સ્વરૂપ શું છે ? તેની તેને રુચિ હોવી જોઈએ અને રૂચિ હોય તો તે ઉપયોગનો પલટો થાય. ભાષા સમજાય છે કે નહિ ? ભાષા તો બધી સાદી દેશી (ભાષા) છે. ભલે ગુજરાતી (છે) પણ ભાષા તો સાદી છે. આહા..હા...! જ ઉપયોગને અંદર પલટાવવો હોય તો (પહેલા) રુચિને પલટાવ. બધેથી રુચિ ઉઠાવી દે ! અને અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે) તેની રુચિ કર તો પર તરફનો ઉપયોગ અંદરમાં વળશે. આ માર્ગનો ક્રમ છે. આથી બીજો ક્રમ કરવા જાય તો એ વસ્તુ મળશે નહિ. આહા..! એ ૩૬મો બોલ થયો.