________________
૧૨૯
વચનામૃત રહસ્ય થયું ? કેમકે બન્ને દુઃખરૂપ છે. સ્વર્ગના સુખ પણ દુઃખરૂપ દશા છે. નરકની દશા એ દુઃખરૂપ દશા છે. એ પુણ્યનું ફળ સ્વર્ગ અને પાપનું ફળ નરક - એવા બે ના દુ:ખમાં તને આંતરા પડે છે કેમ ? આ..હા..હા..! એને ત્યાં પ્રવચનસારમાં મિથ્યાષ્ટિ કીધો છે. પુણ્ય અને પાપમાં, એમાં - પુણ્ય ઠીક અને પાપ અઠીક એવો આંતરો પાડશે તે મિથ્યાષ્ટિ યોર સંસારમાં રખડશે. નરક ને નિગોદ ને એકેન્દ્રિયમાં જશે. હા..હા..! આકરું બહુ ! આકરું નથી પણ એને એ તરફ વલણ જ નથી. જેના તરફ વલણ છે એ એને સહજ થઈ ગયું છે અને આ બાજુ વલણ નથી એટલે એને કઠણ થઈ ગયું છે.
અહીં કહે છે કે, “ઉપયોગને સૂક્ષ્મ કરીને.. આહા..હા..! જાણવા-દેખવાનો જે ઉપયોગ છે પ્રભુ! એ શુભ - અશુભ ભાવમાંથી ખસીને શુભ-અશુભ ભાવ એ છૂળ ઉપયોગ છે, દુઃખનો ઉપયોગ છે, શુભ ને અશુભ પરિણામ
એ દુઃખનો વેપાર છે. આ..હા..હા..હા..! અંદરમાં હોં...! ઉપયોગને સૂક્ષ્મ કરીને | માટે શુભ-અશુભ ભાવમાંથી ખસી જઈ (ઉપયોગને) સૂક્ષ્મ અને જરી ઝીણો રે કરી, સૂક્ષ્મ અને પાતળો કરી, આત્મા તરફ જા ! શૂળ ઉપયોગ એ બહાર તરફ જાય છે. પણ સૂક્ષ્મ ઉપયોગ કર તો અંતરમાં જશે. ઝીણી વાત છે. છે (અંદર) ઉપયોગને સૂક્ષ્મ કરીને આ એની કળા ! આ..હા..હા...!
જાણવા-દેખવાનો જે વેપાર છે એ શુભ-અશુભમાં છે, એ તો તને સહજ થઈ ગયું છે, પણ એ ઉપયોગ તો દુ:ખરૂપ છે. અને એના ફળ પણ દુઃખ છે). સંસાર દુઃખ છે. ચાર ગતિ દુઃખરૂપ છે. સ્વર્ગ પણ દુઃખરૂપ છે. માટે ઉપયોગને શુભ-અશુભ ભાવથી જરી હઠાવી સૂક્ષ્મ કર ! આહા..હા..! હવે આ કરવું...!
(ઉપયોગને સૂક્ષ્મ કરીને) .....સહજ સ્વભાવ પકડવો જોઈએ.' છે ? આહા...હા...! ભૂષા સાદી છે પણ ભાવ ઊંચો છે ! જે જ્ઞાનના ઉપયોગથી - આત્મા પકડાય તે ઉપયોગને સૂક્ષ્મ કહેવામાં આવે છે. જે ઉપયોગમાં શુભ ને અશુભ ભાવે પકડાય તેને સ્થળ ઉપયોગ ને જાડો ઉપયોગ ને જૂડ કહેવામાં આવે છે. શુભ - અશુભ ભાવ જડ છે. ચૈતન્યની શક્તિનો એનામાં અભાવ છે. શુભ ને અશુભ ભાવમાં ચૈતન્ય શક્તિનો અભાવ છે. એથી શુભ-અશુભ ભાવ તે અજીવ ને જડ છે. આ..હા..હા..! ઝીણી વાત છે.