________________
: ૧૨૭
વચનામૃત રહસ્ય (અર્થાતુ) એ કૂતરું જાણે કે મારે લઈને ગાડું ચાલે છે ! (એમ) થડે બેઠેલો માણસ જાણે કે મારે લઈને આ દુકાન હાલે છે ! આ...હા..હા..! જડની પર્યાય જડને કારણે ત્યાં થાય. (દુકાનમાં) કાપડ આવે એને કારણે આવે = ને કાપડ એને કારણે જાય. વચ્ચે બેઠેલો માણસ એમ માને કે હું લાવ્યો છે ને મેં વેંચ્યું ને એમાંથી મેં પાંચસો, હજાર, બે હજાર પેદા કર્યા . એ માન્યતા મિશ્રાદષ્ટિની છે), અજ્ઞાનદશા છે. આ..હા..હા...! આકરું પડે એવું છે. - એ જ અહીંયા કહે છે કે, જીવને પોતાનો ખ્યાલ આવતો નથી કે હું જ્ઞાન છું. જગતની ક્રિયાનો જાણનારે છું - એ પણ વ્યવહાર છે. જગતની ક્રિયા મારામાં જણાય એ તો મારા જ્ઞાનના સ્વભાવને હું જાણું છું, પને
પ
નહિ
.
* નિયમસારમાં એમ કહ્યું છે ને ? કે, કેવળી વ્યવહારનવે પરને જાણે છે. તેથી તેનો અર્થ કેટલાક એવો કરે છે કે, નિશ્ચયથી ભગવાન પર જાણતા નથી. એમ એનો અર્થ) નથી. વ્યવહારનો અર્થ કે તેમાં તન્મય થઈને તેને જાણતા નથી. પણ જેવો લોકાલોકનો સ્વભાવ છે) એવું કેવળજ્ઞાન પોતાના સામર્થ્યથી પોતાને જાણતા એમાં જણાઈ જાય છે. પરને અડતો પણ નથી, લોકાલોકને તેનું જ્ઞાન અડતું પણ નથી. તેથી લોકાલોકને જાણવું (એ) વ્યવહાર છે એમ) કહી અને તેની પોતાની પર્યાયને જાણે (છે), તે નિશ્ચય કધો છે. આહા...હા...! આવું ઝીણું (છે) ! પૂરને જાણવું એ પણ વ્યવહાર કહે છે, કરવાની તો વાત જ શી ? આહા..હા..! - આત્મા પર પદાર્થને કંઈ પણ કરે ! એ માન્યતા મિથ્યા છે). પગ ડગલું જે ભરે એ આત્માની પ્રેરણાથી આમ પગલું ભરાય છે - એ વાતમાં સો એ સો ટકા જૂઠાઈ છે. આહા..હા..! આ વાત કેમ બેસે ? એ ડગલું જમીનને અડે છે. એ વાત સો એ સો ટકા જૂઠી છે. જમીનને પગ અડતો નથી, પગ જીવને અડતો નથી. પગ પોતાની ક્રિયા કરતો પર્યાયનું કામ્ કરે છે. એમ ન માનતાં . અમે આ પગનું કામ કરીએ છીએ, હાલવાનું ચાલવાનું, બોલવાનું બધું અમે કરીએ છીએ તો અહીંયા) કહે છે કે, એ ક્રિયા કરવાનો તેને સહજ અજ્ઞાનનો સ્વભાવ થઈ ગયો છે. પણ આ સહજ (જ્ઞાન) સ્વભાવ છે તેની તને દૃષ્ટિ છે નહિ. આ..હા...હા... ભારે આકરું કામ ! ઓ. હો...હો..!
મુમુક્ષુ : આપને સમજાયા તબ એસી બાત સમજમેં આયી.
UP