________________
નાન છે
૧૨૬
[વચનામૃત-૩૫] પૂજ્ય ગુરુદેવશ્રી : બિલકુલ ન થાય નિમિત્તથી નિમિત્ત વસ્તુ છે પણ નિમિત્તની પર્યાય નિમિત્ત કરે અને ઉપાદાનની પર્યાય, ઉપાદાન કરે. એમાં નિમિત્તની હાજરી હો છતાં નિમિત્ત ઉપાદાનનાં કાર્યને કરે નહિ. આહા..હા..!
આ હાથ હાલે છે, જુઓ ! આ ! એમાં આત્માની પ્રેરણા બિલકુલ નથી. આત્માની ઇચ્છા બિલકુલ એનું કામ કરતી નથી. એ પ્રમાણુની પર્યાય તે કાળે આ પ્રમાણે થવાની છે તે થાય છે. ભાષાની પર્યાય પણ તે કાળે. ભાષાની થવાની તે થાય છે. આત્મા તેનો કર્તા - હર્તા છે નહિ. ઝીણી વાત છે, ભાઈ ! આ..હા..હા...! જ્યાં ત્યાં હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકુટનો ભાર જેમ્ થાન તાણે - ગાડું હોય, બે બળદ જોડેલાં હોય, ગાડું ચાલતું હોય, એના ઠાઠે હેઠે કૂતરું હોય અને કૂતરાને ઠાઠું અડતું હોય તો એને લઈને કૂતરું જાણે કે આ ગાડું મારે લઈને હાલે છે !! સમજાણું આમાં કાંઈ ?
ગાડું હોય ને ગાડું ? (એને) બળદ હાંકતા હોય અને ઠાઠડે નીચે છે તે કૂતરો હોય. એ કૂતરાને હૂંઠું અડે (તો) એ (કૂતરું) જાણે કે આ ગાડું મારે લઈને હાલે છે ! એમ આ જગતના કામ વખતે ઊભેલો આદમી (એમ માને છે કે, આ કામ મારાથી થાય છે. (એમ) એ કૂતરા જેવો છે !! અહીં તો આ વાત છે, ભગવાન ! - મુમુક્ષુ : અત્યારે અમારી એવી હાલત છે ! - પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો સમજવાની વાત છે, બાપા ! જગતુના જે કાર્ય તેને કાળે, તેને કારણે થાય એને એ માને કે મારી શિયારીને લઈને આ દુકાનદારી બરાબર ચાલે છે. દુકાનમાં થડે બરાબર બેસું છું, નોકર બેસે તો એવું કામ કરી શકતો નથી, નાનો ભાઈ બેસે તો પણ એવું કામ કરી શકતો નથી. પણ હું દુકાને બેસું તો બરાબર વ્યવસ્થિત કામ કરી શકું. એ અભિમાન મિથ્યાત્વ અને અજ્ઞાન છે. એ પરની વ્યવસ્થામાં બિલકુલ એનો હાથ - અધિકાર કામ કરતો નથી. પરની વ્યવસ્થા - તેની તે સમયની અવસ્થા. તે તેની વ્યવસ્થા (છે). જડની અને ચૈતન્યની જે સમયે (જે) અવસ્થા (છે) તે તેની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને બીજો કરે એમ માને એ મિથ્યાષ્ટિ ને મૂઢ છે. આકરી વાતું છે આવી ! આહા..!
‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે
=
=
=