________________
૧૩૦
--
-
=
-
-
-
વિચનામૃત-૩૫] સમયસાર ૭૨ ગાથામાં કહ્યું છે કે, શુભ કે અશુભ ભાવ બન્ને અશુચિ - મેલ છે. શુભ ને અશુભ ભાવ બન્ને અશુચિ ને મેલ છે. અંદર પ્રભુ - આત્મા નિર્મળ છે. એ મેલથી ભિન્ન છે. બીજો બોલ. શુભ ને અશુભ ભાવ જડ છે. પહેલો બોલ મળ છે - મેલ છે (એમ) કીધું. બીજો બોલ - શુભ ને અશુભ ભાવ તે અજીવ - જુડ છે. કેમકે એમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી. રાગ છે તે અંધારું છે. શુભ ને અશુભ રાગ આહા..હા..! એ અંધારું છે. એથી એને ભગવાને જડ કીધાં છે. આ..હા..હા...! ભગવાન આત્મા ! જ્ઞાનસ્વરૂપે હોવાથી ચેતન્ય છે. એ જડથી જુદો છે. ઓલા મેલથી જુદો છે તેમ જડથી જુદો છે. આહા..હા...! અને પુણ્ય-પાપના ભાવ એ દુ:ખ છે. એ દુઃખનું કારણ આત્મા નથી. એ દુ:ખ આત્માનું કાર્ય નથી. એ અજ્ઞાનનું કાર્ય છે. આહા..હા...! એ ત્રણ બોલ છે. ૭ર ગાથામાં તો “ભગવાન” તરીકે બોલાવ્યો
-
-
=
આચાર્ય મહારાજે સભામાં હે ભગવાન ! તારા પુણ્ય-પાપના મેલ તો અજીવ છેદુઃખ છે, મેલ છે. પ્રભુ ! તું અંદર નિર્મળ છો ! જીવ છો ! આનંદ છો ! એમ ભગવાન' કહીને ત્રણ વાર બોલાવ્યો છે. આચાર્યએ ! મહા નિગ્રંથ મુનિએ ! દિગંબર સંત ! આત્માના અનુભવી અલ્પ કાળમાં કેવળ લઈને મોક્ષ જનારા ! એણે ભગવાન આત્મા’ કહીને બોલાવ્યા છે. સમયસામાં ૭ર ગાથા છે. આહા..! નિર્મળાનંદ પ્રભુ છે. એ શુભ કે અશુભ ભાવ તો મલિન, અશુચિ, મેલ છે અને શુભ કે અશુભ ભાવ જુડ છે. કેમકે શુભ-અશુભ ભાવ રાગ છે એ કાંઈ જાણતું નથી. રાગ પોતાને જાણતો નથી, રાગ જોડે ચૈતન્ય પ્રભુ છે એને જાણતો નથી. માટે રાગ જડ છે. ભગવાન પોતાને જાણે છે અને રાગ જુદી ચીજ છે એમ જાણે છે. એ ચૈતન્ય પ્રભુ ભગવાન છે. આહા..હા...!
૭ર ગાથા છે એમાં ? છે. એમાં ? હા, હશે. તમે આમાં છપાવી) હશે. જુઓ ! ત્યાં છે, ૭૨ (ગાથામાં) છે. “ભગવાન આત્મા’ છે ? પહેલા (રાગને અશુચિ કહીને પછી ભગવાન' (કહ્યો છે. જુઓ ! એમાં છે, એ ૭૨ ગાથા છે. અહીં તમારા તરફથી છપાણી છે. છપાણી પણ, છપાણી ત્યાં ને ત્યાં રહી ગઈ છે. ‘ભગવાન આત્મા’ એમ કહીને બોલાવ્યો છે. એમાં જુઓ ! છે ? શુભ – અશુભ ભાવ મેલ છે - ભગવાન નિર્મળ છે. શુભ - અશુભ
ભગવાન નિમલ
એમાં જુઓ,