________________
વિચનામૃત-૨૮] ચિતરામણ તારા હાથમાં છે. તું જેવું ચિતર એવો થઈશ. આ..હા..હા...!
...તે તારા હાથની વાત છે, માટે કહ્યું છે કે, બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.' ‘સલુણા....! બંધ સમય જીવ ચેતીએ.” બંધ સમય વખતે ચેત. પુણ્ય-પાપના ભાવ બંધ થાય તે વખતે ચેત. “બંધ સમય જીવ ચેતીએ . એ એક સ્તુતિ છે . દેવચંદજીનું સ્તવન છે. દેવચંદજી (કરીને) એક (સાધુ) શ્વેતાંબરમાં થઈ ગયાં છે. એનું કરેલું આ એક સ્તવન છે. બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ, સલુણા.” એ ઉદય આવે એ વખતે તું શું કરીશ ? એ ઉદય તો આવ્યે જ છૂટકો (છે) અને એના ફળ તારે ભોગવવા જ પડશે. એ વખતે ચિંતા કરીશ તો કાંઈ કામ નહિ આવે.
“ઉદય સમય શા ઉચાટ.' (અર્થાતુ) કર્મના ઉદય વખતે તું ચિંતવના કર કે અરે...! ટળી જાય તો સારું). મને ન મળે એ નહિ કામ આવે. એ વખતે તારી ચિંતા કામ નહિ કરી શકે. આહા..હા..હા..! એ ૨૮ પૂરો થયો).
: : :
“જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહિ.” ર૯.
૨૯ (બોલ)“જ્ઞાનને ધીરું કરીને....... આહા..હા...! જે આ જ્ઞાન છે - જાણવાની દશા છે એને ધીરુ કરી (એટલે કે, એ જ્ઞાનની દશા જે પુણ્ય - પાપમાં વળીને ઢળી ગઈ છે, એ સંસારમાં રખડવાના લખણ છે. આહા..હા..! જ્ઞાનને ધીરુ કરી (એટલે) અંતર જાણપણામાં સૂક્ષ્મતા લાવી, અંતરમાં ઢળી શકે તેવી ભાવના કરી. આહા...! “ ર જો.. અરે...! અરે...! આવી ભાષા