________________
-પકવાન
૧૧૮
[વચનામૃત-૩૪] આહા..હા...! અતીન્દ્રિય આનંદથી ભરેલો - ભરેલો ભગવાન ! મુમુક્ષુને એક જ વાત . એને એ જોઈએ છે. બીજું કાંઈ જોઈતું નથી.
એને ક્યાંય “...બહાર રહેવું પોષાતું નથી માટે મૂંઝવણ થાય... મૂંઝવણ થાય...... ....પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે.” આ... ...! અરે...! હું ગરીબ માણસ થયો, મનુષ્ય થયો, અરે...! સ્ત્રી થયો - એમ પછી મુંઝાતો નથી. સમજાય છે કાંઈ ? હું એ થયો જ નથી. મારું સ્વરૂપ તો અંદર જુદું છે. એવી રીતે) મૂંઝવણ કાઢી નાખી અને મૂંઝવણ પણ થાય (તો) પણ મુંઝવણમાંથી માર્ગ શોધી લે છે. આ...હા..હા..! અંતરની વાતું છે આ !
ભગવાન ! અંદરમાં જવા માટે પ્રયત્ન કરે છે, પર્યાયમાં રાગનું જે ઘર કરી નાખ્યું છે (અર્થાતુ) વર્તમાન અવસ્થામાં રાગ ને વિકારનું જે એકત્વપણું કરી રાખ્યું છે, એમાંથી એને આનંદનું એકત્વ જોઈએ છે. મૂંઝવણ થાય, ઝટ ન થાય છતાં તે માર્ગ શોધી લે છે. ધીમેથી અંદરમાં જઈ, કાળ થોડો લાગે પણ માર્ગ શોધી લે છે).
સમયસારમાં કહ્યું છે.... સમયસારમાં ! હું તારી અંતરમાં જવાની રુચિથી જો (૮) જા, એનો પ્રયત્ન કરે તો જઘન્ય અંતર્મુહૂર્તમાં - ઉત્કૃષ્ટ છ મહિનામાં તને પ્રાપ્ત થશે, થશે ને થશે જ !! સમયસારમાં શ્લોક છે. શ્લોક છે ને ? છ માસ - છ મહિના તો પ્રયત્ન કર, પ્રભુ ! બહારના પ્રયત્ન કરીને તે બધાં કાળ ગાળ્યા - દીકરાં ને દીકરીયું ને બાયડી ને છોકરાંને પસા, દુકાન ને મોટરું ને - બધી બહારની હોળી સળગી, (એમ) કહે છે. આહા...! પણ એકવાર અંદરમાં તો જા ! એ બાળક હોય તો પણ અંદરમાં જવા માગે છે ! અને આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે. આહા..હા..! એ ઈન્દ્રના ચળાવ્યા ચળે નહિ એટલી - એવી શક્તિ અંદરમાં હોય છે ! પણ એ અંદરમાં મૂંઝવણ કર્યા વિના ધીમે...ધીમે...ધીમે... મૂંઝવણ થાય (તો) પણ મૂંઝવણમાંથી (માર્ગ શોધી લે છે.
જેટલો પુરુષાર્થ ઉપાડે... આહા..હા....! અંતરમાં પ્રયત્ન કરવાનો જેટલો પુરુષાર્થ ઉપાડે). રુચિ અનુયાયી વીર્ય' જો તેની - ચેતની રુચિ થાય તો તેનું વીર્ય રુચિ અનુયાયી પ્રમાણે કાર્ય કર્યા વિના રહે નહિ. જો રાગના ને પુણ્યની રુચિ હોય તો તેના તરફનું કાર્ય અને મૂંઝવણનો વિકાર થયા વિના રહે નહિ. અહીંયા જે ચૈતન્ય સ્વભાવ છે તેની જો રુચિ થાય તો