________________
૧૨૨
[વચનામૃત-૩૪]
આ...જી..જી...!
અહીં કહે છે કે, હઠ સ્વભાવમાં કામ ન આવે, માર્ગ સહજ છે,...' આ..હા..હા...! ....ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય.' ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય, (પરંતુ) સાચી ઉતાવળે પ્રાપ્ત થાય ! અંદર જેટલો - જે પુરુષાર્થ જોઈએ તેટલો કર તો પ્રાપ્ત થાય. ખોટી ઉતાવળ કરવા જા તો પ્રાપ્ત નહિ થાય. આહા..હા...! છે ? એ ૩૪મો (થયો).
આહા...! વચનામૃત છે ! સાધારણ જનતાને પણ પકડાય એવું છે. ઘણાં પુસ્તકો બહાર પડી ગયાં છે. આહા...! નાના-નાના ચોપાનિયાં પણ બહાર પડ્યાં છે. બીજું શું કહે ? ઓલા પાંદડાં....! કેલેન્ડર છે, બીજા બધાં (કેસેટમાં રાખવાના કવર) ...ઘણી-ઘણી જાતનાં પડી ગયાં છે. ઓલા તાડપત્ર...! હા... તાડપત્ર ! તાડપત્ર પર લખાઈ ગયેલાં છે ! તાડપત્ર ૫૨ આ શબ્દો લખાઈ ગયેલાં છે. એવા લગભગ ૬૦,૦૦૦ બહાર પડી ગયાં છે !! બહુ પ્રચાર છે, હિન્દુસ્તાનમાં આ પ્રચાર બહુ થઈ ગયો છે.
“અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી શુભને વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ.'' રૂપ
૩૫મો બોલ. ‘અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે,...' આ..હા...હા...! અનંત કાળથી જીવને હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, પરિગ્રહ, મમતા, કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, રિત, શોક, દુ:ખ, દિલગીરી
એવા