________________
વચનામૃત રહસ્ય
૧૧૩ પણ નથી, અને શુભાશુભ છોડવા જઈશ તો, અહીં શુદ્ધ (સ્વરૂપનું લક્ષ) તો છે નહિ, અને શુભાશુભ છોડવા જઈશ ત્યાં શુભાશુભ રહિત શુષ્ક થઈ જઈશ, શૂન્ય થઈ જઈશ. તારો આત્મા જ નહિ રહે. આ..હા..હા...! ઝીણી વાત આવી થોડી ! પેલા પરિણામ જેવી આવી છે. - (૨૧મો બોલ). ચૈતન્યનાં પરિણામનું ફળ ન આવે તો જગત શૂન્ય થઈ જશે. આવ્યું હતું ને ? એમ આ વાત છે. આ..હા..હા..!
(હવે કહે છે, “મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યાં જ કરે...' છે ? મુમુક્ષુ જીવ (અર્થાતુ) આત્માની જેને પિપાસા પડી છે એવો મુમુક્ષુ જીવ, ...ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે.. (કે) આ નહિ... આ. નહિ... આ નહિ... આ નહિ... મારી વસ્તુ જુદી છે. એમ ખટક રહ્યાં જ કરે તો સમ્યગ્દર્શન પામવાને લાયક થાય. આ..હા..હા..! ઝીણી વાત છે થોડી. સ્થૂળદષ્ટિવાળાને સમજવું કઠણ પડે એવું છે. પણ હવે આ વાત અંદરથી આવી છે. આવી એવી મૂકવી તો પડે જ ને ! આહા..હા..!
(ઉલ્લાસનાં કાર્યોમાં જોડાય તો પણ અંદરથી ઊંડાણમાં ખટક રહ્યાં જ કરે. શુભાશુભ પરિણામ એ તમારું સ્વરૂ૫) નહિ, મારી ચીજ તો ભિન્ન છે. (એવી) ખટક તો અંદર રહ્યાં જ કરે. આ..હા..હા...! “....સંતોષ ન થાય.' થોડુંક શુભ ઘટાડ્યું માટે સંતોષ ન થાય, ખટક રહ્યા જ કરે કે, આ શુભ (થી) પણ છૂટીને અંદરમાં જાઉં એ ખરી) ચીજ છે. શુભથી છૂટીને પણ અંતરમાં જાવું - એ મારું સ્વરૂપ છે. એ મારો નિજદેશ અને મારું નિજ ઘરે છે. એ મૂંઝાય નહિ. ઝટ ન જાય તો ધીમેથી રાગનો આદર છોડીને અંદરના આદરમાં જાય. આહા..હા...!
| ‘હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે .' મુમુક્ષુને એમ છે - રાગાદિ ઘટાડવા જાય ને ન ઘટે અને દૃષ્ટિ ન થાય તો એને એમ થાય કે મારે તો હજુ ઘણું કરવાનું બાકી છે. રાગ ઘટાડીને સ્વરૂપમાં જવાનું ઘણું કરવાનું બાકી છે. શુભભાવ કર્યો માટે મેં ઘણું કર્યું. એમાં કાંઈ નથી. ભાષા રી (ઝીણી છે).
. એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે,....' મુમુક્ષુ જીવને (એટલે કે જેને આત્માની પડી છે એને આવી ખટક તો સદાય - નિરંતર રહ્યાં