________________
૧૧૨
વિચનામૃત-૩૩] જઈશ.
મુમુક્ષુ : શૂન્ય કેવી રીતે થશે ? કેમકે શુભાશુભ કાયમ રહેશે. પૂજ્ય ગુરુદેવશ્રી : એ જ કહે છે અહીંયા ! શુભાશુભ પરિણામને શુદ્ધ સ્વભાવના લક્ષ વિના છોડવા જઈશ, ત્યાં રહેશે શું ? શુદ્ધ તો દૃષ્ટિમાં છે નહિ (અને) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. ઝીણી વાત છે. આ..હા..હા..! ધીરેથી વાત સમજવી), બાપુ ! આ વાર્તા નથી. પ્રભુ ! આ તો આત્માની અંતરની વાતું છે. આહા..હા..હા..! શું કહ્યું ?
શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ નથી અને મૂંઝવણમાં શુભાશુભભાવને છોડવા જઈશ તો અહીં શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ) છે નહિ (અને) શુભાશુભ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. આહા..હા..! ઝીણી વાત મૂકી છે થોડી, ઝીણી વાત છે થોડી !
બે અસ્તિત્વ છે. એક ત્રિકાળ (સ્વરૂપનું અસ્તિત્વ અને એક પુણ્ય-પાપનું અસ્તિત્વ. હવે કહે છે કે તને ત્રિકાળ અસ્તિત્વને જાણવાની ઇચ્છા હોય તો જાણવા જા. પણ જાણવા પહેલાં શુભાશુભને જાણ્યા વિના એકલો છોડવા જશે તો શુદ્ધતા નહિ આવે હાથમાં, શુભાશુભ નહિ છૂટે (અને) શૂન્ય થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. આહા..હા..! ઝીણી વાત છે થોડી.
બેનનાં અંતરમાંથી વાત આવી છે. ૬૪ દીકરીયુંમાં એ વાત કરી હતી. આહા..હા....! શું કહ્યું એ ?
“વસ્તુ પરિણમનશીલ છે....' (માટે) શુભાશુભ પરિણામ) થશે. .-સ્થ નથી.” (એટલે) ન પરિણમન થાય એવું નથી. પરિણમન તો થશે. “શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો...' (આત્માની) લગન લાગ્યાં વિના (છોડવા જઈશ) આહા..હા..! “....તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન કરવી. ધીમેથી આત્મા તરફ વળવા માટે પ્રયત્ન કરવો. પણ આત્મા (તરફ વળવા) માટે પ્રયત્ન ન કરતાં, શુભાશુભને છોડવા જઈશ ત્યાં, નહિ રહે આત્મા (કે નહિ રહે શુભાશુભ ભાવ ! શુષ્ક થઈ જઈશ ! સમજાય છે આમાં ? બેનની વાણી તો અનુભવની છે. આહા...!
અંતરની ચીજને જોઈ નથી અને મૂંઝાણો છે કે, “અરરર...! હવે આ શુભાશુભ છૂટી જાય.” પણ અંતરની દૃષ્ટિ થઈ નથી, તેના તરફનું વલણ