________________
૧૧૦
[વચનામૃત-૩૩] તો થશે. શુભાશુભ પરિણામ થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ.” ઝીણી વાત છે થોડી !
(કેમ આમ કહ્યું ?) કેમકે તને દૃષ્ટિની ખબર નથી અને શુભાશુભભાવ ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો એમ) છૂટશે નહિ. (તો) શુષ્ક થઈ જઈશ. (કેમકે) અંતરની (સ્વરૂપની) દૃષ્ટિ થઈ નથી. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ ! - આ તો દીકરીયુંમાં અનુભવની થોડી વાણી નીકળી ગઈ અને આ બહાર આવી છે. નહિતર તો આવી વાત બહાર આવે નહિ. બેન તો અંદરમાં સમાઈ ગયેલાં છે ! આ દેહ છૂટીને વૈમાનિકમાં જવાનાં છે. વૈમાનિક દેવ થવાનાં છે. સ્ત્રીપણું નાશ થઈ જશે. વૈમાનિકમાં પુરુષદેવ તરીકે થવાનાં છે. બધું નક્કી થઈ ગયેલું છે. આહા...!
(અહીં કહે છે, જેને લાગી છે તેને જ લાગી છે. પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી;....” (માટે) શુભાશુભ પરિણામ તો થાય. શુભાશુભ પરિણામ હોય. તેને છોડવા જઈશ. એની ઉપર લક્ષ કરવા જઈશ (તો) નાસ્તિક થઈ જઈશ. એ તો અહીં (સ્વરૂપની) દૃષ્ટિ થશે તો શુભાશુભ પરિણામ) છૂટશે. પણ તું શુભાશુભ ઉપર લક્ષ રાખીને છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ. જરી ઝીણી વાત કરી છે. શું કીધું ?
શુભ ને અશુભ પરિણામ થશે. તેને છોડવા જઈશ (એટલે કે) એના ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. કારણ કે સમ્યગ્દર્શન છે નહિ, આત્માનો રસ આવ્યો નથી અને શુભાશુભ પરિણામ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. આવે (ખરા પણ) મૂઝાવું નહિ. શુભાશુભ પરિણામ આવે (પણ) એને મૂંઝાવું નહિ, એમાંથી નીકળીને અંદરમાં જવાનો પ્રયાસ કરવો. આહા..હા..! જરી ઝીણી વાત કરી છે.
તેને છોડવા જઈશ તો શુન્ય અથવા શુષ્ક થઈ જઈશ.' આત્માની દૃષ્ટિ થઈ નથી અને એકલાં શુભઅશુભ પરિણામ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ. ઝીણી વાત છે થોડી ! અંદરની અનુભવની વાત છે. આહા..હા..! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ હોય ત્યારે તો શુભાશુભ પરિણામ) છૂટા જ પડ્યાં છે, પણ તેની દૃષ્ટિ થઈ નથી અને તું શુભાશુભ એકદમ છોડવા જઈશ, (એમ) શુભાશુભ છોડવા જઈશ (તો તારી) દૃષ્ટિ તો આત્મા ઉપર
*ક
-
=
.
.