________________
૧૦૮
[વચનામૃત-૩૨] રસ લાગ્યો... આહા..હા..! પહેલું જ્ઞાન તો કરે કે આ અંદર ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સચિદાનંદ પ્રભુ છે. એની દશામાં - પર્યાયમાં પુણ્ય-પાપનો, મિથ્યાત્વના ભાવ છે, વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળ નિરાવરણ, અખંડ એક સ્વરૂપ અવિનશ્વર પરમ સ્વભાવભાવ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. એમ સમકિતીની માન્યતા આવી હોય છે. આહા..હા..!
એ અહીં કહે છે, જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે..... આહા..હા...! જેણે દૂધપાક ખાધાં...! દૂધપાક કહે છે ને ?... એને લાલ જુવારનાં ફોતરાના રોટલા સારા ન લાગે. જુવાર બે પ્રકારની હોય છે. અમારે તો બધો અનુભવ થયો છે ને ! એક ધોળી જુવાર - એક પીળી (જુવાર). એના ઉપરના ફોતરા પીળા હોય છે. અમે તો સ્થાનકવાસીમાં દીક્ષા લીધી હતી તો ગમે ત્યાં ઓરવા જઈએ. તો એક ફેરી વિરમગામ જતાં હતાં તો (વચ્ચે) ગામડું આવ્યું તો ત્યાં) પીળી (જુવારના) ફોતરાનો રોટલો મળ્યો !. વાણિયાના ઘર નહોતા. તો એને ત્યાં ગયા તો એ મળ્યાં. પણ એનો રસ અને દૂધપાકનો રસ જેણે ચાખ્યો હોય, એને પીળી જુવારના ફોતરાના રોટલાનો રસ લાગે નહિ. એમ (જેને આત્માનો રસ લાગ્યો હોય એને રાગનો રસ લાગે નહિ. આ..હા..હા..!
એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, જેને પરનો રસ છે એને આત્માનો રસ ન આવે અને જેને આત્માનો રસ છે તેને પરનો રસ આવે નહિ. રાગ આવે પણ રસ આવે નહિ. એમાં એકાકાર ન થઈ જાય, એવો બે (વચ્ચે) આંતરો અંદર રહે છે. આહા..હા...! છે ? .....તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે.....'
“...કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા તથી.' આહા...હા...! ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું પદ પણ સારું લાગતું નથી. “અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી.... ભાન હોવા છતાં સ્વરૂપમાં ઉપયોગ જામતો ન હોય તો રાગ આવે - શુભરાગ આવે, અશુભરાગ આવે. એ કહે છે.
...ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના - બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય... છે. મિથ્યાષ્ટિને સંસારનો રસ ચડી ગયેલો જ હોય છે. આહા..હા..! ભલે એ શુભરાગ, કરે પણ એને એનો રસ ચડી ગયો