________________
૧૧૪
નયા*
------
--
-
અ મ --
-
- -
[વચનામૃત-૩૩] . જ કરે. આહા..હા..! “....તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી .' બહારમાં દેખાય છે પણ ક્યાંય એને સંતોષ થતો નથી. મારા ઘર સિવાય આ પરમાં મારું સ્વરૂપ નથી. આહા..હા...!
...અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી...” શું કીધું ? ....ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ જતાં....' (અર્થાતુ) મૂંઝવણ કરીને મૂંઝાઈ ન જતાં ધીમે-ધીમે ધીરજથી રાગને રહિત કરવા અંદર પ્રયત્ન કરવો. એકદમ મૂંઝવણમાં મૂંઝાવું નહિ. (એમ) કહે છે. રાગ રહિત એકદમ ન થવાય તો મૂંઝવણ ન કરવી. ધીમેથી એને આત્માના લક્ષમાં જવા માટે ધીરજથી કામ લેવું. નહિતર મૂિંઝવણમાં જઈશ તો મૂઢ થઈ જઈશ, આહા..હા...! આ તો જેને અંદરની ખટક પડી હોય એની વાતું છે, બાપા ! આ કાંઈ વાર્તા= =કથા નથી, આા .!
(માટે કહે છે) ....એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.' રાગ તૂટે નહિ, અંદરમાં જવાય નહિ (માટે) મૂંઝવણ થાય પણ મૂંઝવણમાંથી માર્ગ શોધી લે. મૂંઝાઈને ત્યાં મૂઢ ન થઈ જાય. ધીમેથી.... અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન્ય છે, રાગની મંદતા મારાથી ઝટ ખસતી નથી પણ ધીરેથી અંદરમાં જતાં તે રાગ ખસી જશે અને આત્માનો અનુભવ થશે, એમ વિચારી) એણે મૂંઝવણ કરવી નહિ. આહા..હા..હા...! સમજાણું કાંઈ આમાં ? આ ઝીણી વાત આવી ગઈ છે.
(કહે છે) ....આડો અવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.” કઠણ પડતું હોય, એમ) એને લાગતું હોય તો પણ મૂંઝાય નહિ. ધીમેથી . રાગને મંદ કરીને આત્માની શુદ્ધતા તરફ ઢળવાનો પ્રયત્ન તેણે મૂકવો નહિ અને મૂંઝાવું પણ નહિ. એના તરફ જવાનો પ્રયત્ન મૂકવો નહિ અને રાગ આવે અને ન છૂટે તો મૂંઝાવું પણ નહિ. એવી દશાની વાત અહીંયા કરી છે. એ મધ્યમ દશા, સમ્યગ્દર્શન પામવા પહેલાં આવી દશા હોય છે. પણ એ દશાવંત અંદરમાં જતાં રાગની મૂંઝવણ એને ટળી જાય અને આત્માનું_ જ્ઞાન થઈ જાય છે. વિશેષ કહેશે....)
-
-
-