________________
૧૦૩
વચનામૃત રહસ્ય વરસે છે. માતાના પેટમાં આવ્યાં પહેલાં પણ સમકિતદષ્ટિ જીવ હતો અને તીર્થકર થવાનો માટે એના છ મહિના પહેલાં રત્ન વરસાવે છે. પંદર મહિના રત્નની વૃષ્ટિ વરસે ! આહા...હા...હા..!
એ જન્મે ત્યારે એને ઇન્દ્રો એમ કહે, “માતા ! આ જગતનો પિતા છે ! એ તારો એકલો પુત્ર નથી (પરંતુ) જગતના તારણહાર છે ! માતા ! એનું ધ્યાન રાખજો !” (ત્યાં) એક દેવ રાખે છે. માતાના પેટમાં આવે ત્યારે એને જાળવવા એની સાથે એક દેવ રાખે છે. એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે !! આ..હા..હા..! એ સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ ! એ અહીં કહે છે. એને (સમ્યદૃષ્ટિને) ....જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે; જોયું ? અસ્થિરતા છે રાગ આવે છે પણ એ અલ્પ છે. એને અનંતાનુબંધીનો કષાય નથી. અનંત સંસાર વધારે એવો એને કષાય - નથી, આહા..! ....અલ્પ અસ્થિરતા છે. એ લડાઈ કરી તો પણ અલ્પ અસ્થિરતા છે. અંદરમાં સમકિત થયું છે તો અનંતાનુબંધી ગયું છે અને આત્માના આનંદના અનુભવનું વેદન વર્તે છે.
...તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે.....' એમ એ જાણે છે. મારાં પુરુષાર્થની કમજોરી છે એથી આ જરી રાગ થાય છે, પણ એ મારી ચીજ નથી. હું તો આનંદસ્વરૂપ છું. એવું સમ્યક્દષ્ટિને પહેલી ભૂમિકામાં આ થાય છે. આહા..હા..! એ વિના બધું થોથા છે. સમ્યગ્દર્શન વિના જે કાંઈ બહારની પ્રવૃત્તિ ને ક્રિયાકાંડમાં પુણ્ય આદિ થાય એ બધો સંસાર છે, ધર્મ નહિ. ધર્મ તો આ સમ્યગ્દર્શન થાય ત્યારે શરૂ થાય છે. એ અહીં કહે છે.
....પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે.” છે ? આ શી રીતે બેસે ? સર્પને સાણસે પકડે પણ જાણે છે કે આ છોડવા જેવો છે, ઘરમાં રાખવા જેવો નથી - એમ માને છે). ઘરમાં રાખવા જેવો છે ? પકડે ખરો....! અરે...! હુશિયાર માણસ હોય તો તો હાથે પકડે છે. એ હાલતો હોય તો આમ મોટું ઊંચેથી પકડી લે (એટલે) એનું મોઢું એને કરડી ન શકે, અને પછી એમ ને એમ નાખી આવે. આવા માણસો છે. સર્પ ચાલતો હોય, એને આમ મોઢા આગળથી પકડે (એટલે) મોટું આમ કરડવા વળી ન શકે અને બહાર નાખી આવે. એને ઝેર ચડે નહિ અને
* *
*
1.