________________
વચનામૃત રહસ્ય કર.” આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન છે. આહા..! ધર્મની પહેલી સીઢી આનું નામ છે. વાતુ કરે કાંઈ વડા થાય એવું નથી ! આપણે) અમથું નથી કહેવાતું કે, “વાતે વડા થાય નહિ ! એ વડા બનાવવાની ચીજ જોઈએ - લોટ, ઘી-તેલ કે એવી કોઈ ચીજ જોઈએ). એમ વાતે વડા થાય નહિ. આ તો ભાષાએ કાંઈ મળે નહિ.
અંતરમાં ભગવાન આત્માની અંદર ઊતરતાં એમાં ક્રીડા કર, ત્યાં રમણ કર. ત્યાં તને આનંદ થશે અને ત્યાં તારા દુઃખના આરા (અંત આવી જશે. આ..હા..હા...! એ ૨૬ (પૂરો થયો). ૨૭મો બોલ તમારે વાંચી લેવાનો.
-
-
-
છે.
“ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.” ૨૮.
જિ00 ૦ ૦ ૦ ૦ ૦
૨૮મો બોલ. શું કહે છે હવે ? “ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. આજ પછી ભવિષ્યનું ચિતરામણ કરવું - નરકનું, તિર્યંચનું મનુષ્યનું, દેવનું કે સિદ્ધનું - એ પાંચ પ્રકારનું ચિતરામણ કરવું એ વર્તમાન તારા હાથમાં છે (એમ કહે છે). પૂર્વનાં કર્મ છે એ તો ખલાસ થઈ ગયાં. હવે કહે છે નવાં કર્મ બાંધવાં હોય તો શુભાશુભ ભાવ (કર) અને મોક્ષ જોઈતો હોય તો સિદ્ધ ભાવ (પ્રગટ કર). અહીં તો ભવિષ્યના ચિતરામણમાં પાંચેય ગતિ આવી જાય છે.
વર્તમાનમાં નરકનાં પરિણામ કરીશ તો નરક મળશે, તિર્યંચના ભાવ કરીશ તો ઢોર થઈશ, મનુષ્યના ભાવ કરીશ તો મનુષ્ય થઈશ, દેવના ભાવ કરીશ તો દેવ થઈશ, સિદ્ધના ભાવ કરીશ તો સિદ્ધ થઈશ. એ પાંચેય ગતિનું