________________
૮૯
વચનામૃત રહસ્ય એ વિચાર આવતા નથી.
તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક...' આ...હા....! બીજની પેઠે, દ્રવ્યસ્વરૂપ ભગવાનને એક વાર પકડવાથી, એનો વિશ્વાસ આવવાથી કે આમાંથી મને સિદ્ધપદ મળશે, આમાંથી મને કેવળજ્ઞાન થશે, આમાંથી હવે મને અનંત આનંદ (મળશે), એવું સમકિતરૂપી બીજડું જો વાવ્યું.... આહા..હા...! એ બીજમાં એટલી તાકાત છે કે જેમ એક બીજમાંથી હજારો દાણા પાકે છે, એમ આ સમકિતરૂપી બીજ, એમાંથી કેવળજ્ઞાનનો પાક થશે. આહા..હા...! આવી વાત છે આ ! કેવી જાતનો ઉપદેશ આ ?, આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો ને - એ ઉપદેશ તો (બીજે) ચાલ્યા કરે છે. (અ) અનાદિથી એ કર્યા કરે છે. પણ કાંઈ કરવું નથી, અંદરમાં ઠરવું છે - એ ચીજને એણે સાંભળી પણ નથી. રુચિપૂર્વક સાંભળી નથી.
એથી અહીં કહે છે કે, “....મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી.... (અર્થાતુ) ભગવાન આત્માને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન દ્વારા પકડવાથી - અનુભવવાથી, વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી...' એમ કીધું છે ને ? એકલા દ્રવ્યને નહિ પણ દ્રવ્યનો વિશ્વાસ કરીને. સમ્યગ્દર્શનજ્ઞાનનો વિકાસ કરીને. આહા..હા...! છે ? ....દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે....' બીજ વાવ્યાથી જેમ ફળ થાય છે એમ ભગવાન પૂર્ણાનંદના નાથને બીજરૂપે પકડવાથી, જેમ બહારમાં ચંદ્રમામાં બીજ થાય (ઊગે) તો પૂનમ થયા વિના રહે નહિ, એમ ચૈતન્યમૂર્તિ ભગવાન (આત્મા) રાગથી રહિત (છે), (એવું) એકવાર અંદર બીજડું વાવ્યું તો એ બીજમાંથી કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. એ (કર્યા વિના બીજા કોઈ રસ્તા લેશે તો ચાર ગતિમાં રખડવાનાં રસ્તા છે. આહા..હા...!
નરક ને નિગોદ ને એકેન્દ્રિય.... આહા..હા...! મૂળા...! મૂળો સમજે ? આ કાંદો. એમાં પડ્યો હતો (ત્યારે) મફતમાં વેચાણો છે. પહેલાં ચાર પૈસાના શેર (મળતાં હતાં. અત્યારે વળી મોંઘું થઈ ગયું છે. ચાર પૈસાની શેર દૂધી ! બે શેર દૂધી લીધી હોય, છોકરો જોડે (સાથે) હોય, (અને છોકરો કહે, બાપા ! મને આ મૂળો અપાવો !' તો (શાકવાળો) એક મૂળો મફતમાં આપે. મૂળો....! એ (મૂળાની અંદર એ મફતમાં બેઠો હતો ! (એ રીતે) મફતમાં વેચાણો છે. આહા..હા...! જેની કિંમત પણ આપી નથી, પેલા રીંગણાં કે