________________
૧OO
[વચનામૃત-૩૧] હતું એ ચક્ર પાછું ભરત ઉપર આવી ગયું. કારણ કે એ ચરમ શરીરી જીવને ચક્ર લાગુ ન પડે. સગા બે ભાઈ ! સમ્યદૃષ્ટિ !! છતાં લડાઈએ ચડ્યાં ! છતાં અંદરમાં સમ્યગ્દર્શનને ભૂલ્યાં નથી !! આહા..હા...! એ ચીજ શું છે, બાપુ ! લોકો બહારથી ત્યાગ અને બહારની ક્રિયાકાંડમાં બધું માને છે પણ અંદરની ચીજ કોઈ બીજી છે. " એ અહીં કહે છે કે, ...ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં,...' (અર્થાતુ) બધાં કાર્ય હોય છે. વેપાર હોય છે, ધંધો હોય છે. અરે...! ભરતને ચક્રવર્તીનું રાજ હતું ! ૯૬ હજાર તો જેને સ્ત્રી હતી પરંતુ) અંદરમાં નિર્લેપ છે. આહા...! નાળિયેરમાં જેમ ગોળો....! ગડગડિયું નાળિયેર (હોય) એનો ગોટો છૂટો પડે, એમ સમ્યદૃષ્ટિનો આત્મા રાગથી ને શરીરથી ગોળો છૂટો પડી જાય છે. આ..હા..હા..! સમજાય છે કાંઈ ?
એ (સમ્યક્રદૃષ્ટિ) ગૃહસ્થાશ્રમમાં હોય, .....બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં...' સંસારનાં બધાં કાર્યમાં ઊભો હોય છતાં, “....લેપ લાગતો નથી... આ.હા..હા..!
મુમુક્ષુ : ગુરુદેવ ! પણ પાપનાં કાર્ય કરે તો પણ એમને ન લાગે ? પૂજ્ય ગુરુદેવશ્રી : ના, પાપનું કાર્ય હોય પણ એને કાંઈ લાગતું નથી. એ રાગને જાણે છે કે આ મારું સ્વરૂપ નથી. એમ છે, ભાઈ ! પાપનાં - લડાઈનાં પરિણામ થયાં તો પણ જાણે છે કે, આ મારી જાત નથી, આ તો પાપ છે. એનાથી અંદરમાં નિર્લેપ છે !!
મુમુક્ષુ : તો પછી અમે પણ કરીએ તો વાંધો નહિ ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : અહીં તો સમ્યદૃષ્ટિની વાત છે. આ તો સમ્યદૃષ્ટિની વાત (છે), બાપા ! સમ્યક્દૃષ્ટિની વાત છે). મિથ્યાદૃષ્ટિ રાગને પોતાનો માને, એ પાપમાં પડ્યાં છે). એ તો નરક ને નિગોદમાં જવાના ! આહા..હા..! આ તો સમ્યદૃષ્ટિાની વાત ચાલે છે). પહેલો શબ્દ એ લીધો છે ને !
મુમુક્ષુ : મિથ્યાદૃષ્ટિએ પાપ છોડવું, સમ્યદૃષ્ટિએ પાપ ન છોડવું !
પૂજ્ય ગુરુદેવશ્રી : નબળાઈ આવે છે, એટલે આવે. છોડવું - નહિ છોડવું (એ તો) છૂટેલું જ પડ્યું છે. મારું એ છે જ નહિ, હું એનો કર્તા નથી. ખરેખર એ (સમ્યકુદૃષ્ટિ) તેનો કર્તા નથી ! આ..હા..હા..! “કરે કરમ સો હિ કરતારા, _જો જાને સો જાનનારા, જાને સો કરતા નહિ હોઈ, કરતા