________________
G
વચનામૃત રહસ્ય સવારે વાંચીએ છીએ ને ? એમાં એવી વાત છે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. આત્મા પરમાણુને અડતો નથી. કર્મને આત્મા અડતો નથી. કર્મ જીવને અડતા નથી. દરેક દ્રવ્ય પોતાનાં જે ગુણ અને પર્યાય છે તેને તે સ્પર્શે છે, તેને તે ચૂંબે છે. સમયસાર છે ને ? (એમાં) ત્રીજી ગાથામાં છે, ત્રીજી ગાથા....! દરેક તત્ત્વ પોતાનાં ગુણ અને પર્યાયને સ્પર્શે છે. પરને અડ્યો જ નથી ને અડતો પણ નથી. (ફક્ત) માન્યતા કરી છે કે હું આને અડું છું ને આને આમ કરું છું. આહા...હા...!
મુમુક્ષુ : એ તો નિશ્ચયની વાત છે, વ્યવહારથી અડે છે. પૂજ્ય ગુરુદેવશ્રી : વ્યવહારથી અડે છે, બિલકુલ નહિ, જૂઠી વાત છે. વ્યવહારથી અડે . એ બોલે છે, એ કથન જ જૂઠું છે. આકરી વાત છે, ભગવાન ! એક તત્ત્વ બીજા તત્ત્વને અડતું નથી. એ અડે છે, એમ અજ્ઞાનીની કલ્પના મફત(ની) છે. કેમકે એક તત્ત્વ છે એ બીજા તત્ત્વના અભાવ સ્વરૂપ છે. આ આંગળી છે એ આ આંગળીના અભાવસ્વરૂપ છે. આનો આમાં અભાવ છે. આનો આમાં અભાવ છે. અભાવ છે તો આ આને અડે એમ બની શકે નહિ. આને અડે તો આનો આમાં ભાવ થઈ જાય. આનો આમાં અભાવ છે. એમ એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવે છે. એને લઈને એક તત્ત્વ બીજા તત્ત્વને ત્રણ કાળમાં અડતું નથી. આહા..હા...! સમયસારની ત્રીજી ગાથા છે. પરમાત્માની વાણી છે.
ત્રિલોકનાથ જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં એ ફરમાવ્યું છે કે, પ્રભુ ! અમે જ્ઞાનમાં જોયું છે, આહા...હા...! “પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ,....' પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ અમને પેખતા હો લાલ' પ્રભુ ! આપ ત્રણ કાળ ત્રણ લોકને જુઓ છો એમાં અમારી આ સત્તાને તમે શુદ્ધ જુઓ છો ! આ આત્મા શુદ્ધ - પવિત્ર છે, એમ તમે જુઓ છો !! અંદર પુણ્ય-પાપ છે એ આત્મા છે, એમ આપ જોતાં જ નથી. આહા..હા...! “પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ,....' સીમંધર સ્વામી પરમાત્મા ભગવાન બિરાજે છે. મહાવિદેહમાં વર્તમાન બિરાજે છે. ૫૦૦ ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. આહા..હા...! સમજાય છે ? એ પ્રભુ એમ કહેતાં. આહા..હા...! આ વાણી ભર્તુ ની છે. “પ્રભુ તુમ જાણગ રીતિ . પ્રભુ ! તારા જ્ઞાની રીત અમારા
હ
-
---
-