________________
૮૨
[વચનામૃત-૨૬] (રહ્યું છે. અનંત...અનંત...અનંત..અનંત....અનંત...અનંત... આકાશએમાં એક પરમાણુને મૂકે. (અને એ) જેટલા ભાગને (રોકે તેને) પ્રદેશ કહે છે). એ આકાશના જે પ્રદેશ છે તેનાથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. આહા...હા..હા...! છે ?
અનંતગુણ સ્વરૂપ આત્માને જો..... આ..હા..હા...! નવરાશ ક્યાં પણ ? ફુરસદ ક્યાં ? આહા...! વીંટાઈ ગયેલો છે . પુષ્ય ને પાપમાં વીંટાઈ ગયેલો છે. અંદર ભિન્ન ભગવાન છે એની એકવાર સંભાળ કર ! ....તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર,.... આ..હા..હા...! શું કહ્યું એ ?
. અંદર વીતરાગી આનંદ પડ્યો છે. અનાદિ અનંત વીતરાગી આનંદની મૂર્તિ જ પ્રભુ છે. એની વર્તમાન દશામાં બધાં ગોટા છે. પુણ્ય ને પાપ ને સંસાર ને નરક ને નિગોદ (ના ગોટા છે. વસ્તુ છે એ તો વીતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. આહા...! એમાં ક્રીડા કર - એમાં રમત કર, એમાં જઈને મોજ માણ. બીજે ક્યાંય મોજ છે નહિ. આ..હા..હા...હા...!
જુઓ ! આ બેન અનુભવથી બોલેલાં છે. અતીન્દ્રિય આનંદના અનુભવમાંથી બોલેલાં છે). બાળ બ્રહ્મચારી ૬૪ દીકરીયું છે. લાખોપતિની મોટી દીકરીયું છે. કેટલીક Graduate થયેલી છે. એમાં બેન આ બોલેલાં, (એ) લખેલું, એમાં આ બહાર આવી ગયું. આહા...! પણ બોલ્યાં છે અંતરના અનુભવના નાદથી ! નાદ અંદર આવ્યો છે, એ દીકરીઓએ સાંભળ્યો છે, તેને લખી લીધો.
વીતરાગી આનંદથી ભરેલા....” શું કહ્યું ? વીતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. રાગ ને પુણ્ય-પાપથી ભરેલો સ્વભાવ નથી. પુણ્ય અને પાપ તો કૃત્રિમ નવા ભાવ વિકાર - ઝેર ઉત્પન્ન કરે છે. પુણ્ય અને પાપના ભાવ એ તો ઝેર છે. પહેલાં આવી ગયું છે. (બોલ-૧૯) શુભભાવ તે કાળો નાગ છે, ઝેર છે. પહેલાં આવી ગયું હતું. આહા..હા..! કેમ બેસે આ વાત ? આત્મા અંદર કોણ છે ? એની કાંઈ ખબરુ ન મળે.
અહીં કહે છે, “વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રિીડા કર,... સાર છે, સાર - એકલો આ તો !! ....તે આનંદરૂપ સરોવરમાં....' અંદર આનંદરૂપ સરોવર છે, પ્રભુ ! ત્યાં નજર કરી અને ત્યાં “...કેલી કર - તેમાં રમણ