________________
-
-
[વચનામૃત-૨૬] ..તેની સંભાળ કર. એની સંભાળ કર (એમ કહે છે). આહા...હા...!
હું એક આનંદમૂર્તિ પ્રભુ છું ! એની રૂચિ અને દૃષ્ટિ અનંત કાળમાં એક સેકંડ. માત્ર કરી નથી. એની તો સંભાળ કર. હવે અંતરમાં જા.' અંદર ઊંડાણમાં - પાતાળમાં ભગવાન પરમાત્મા બિરાજે છે. આહાહા..હા..! વર્તમાન પર્યાય શુભાશુભ ભાવની પાછળ અંતરાત્મા ભગવાન બિરાજે છે. ત્યાં જા. છે ? અંતરમાં જા.” આવું કરવાની) ક્યાં નવરાશ હતી ?
ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ બધાં ભાવ (એ) શુભભાવ છે. એ કોઈ ધર્મ નથી. આવે... ધર્મી જીવને પણ એ ભાવ આવે ખરાં, છતાં તેને હેય જાણી અંદર ચિદાનંદ ભગવાનની એ સંભાળ રાખે છે. ધર્મી જીવ એને કહીએ કે અંતરમાં ચૈતન્ય ભગવાન બિરાજમાન છે. તેને સંભાળી ને અંતરમાં જાય છે. આ, હ.....!
(માટે અહીંયા કહે છે) અંતરમાં જા, ને તૃપ્ત થા.” બહારમાં પ્રભુ તને ક્યાંય તૃપ્તિ નહિ મળે. આહા..હા...! અંદર શુભ કે અશુભના વિકલ્પના રાગની પાછળ ચૈતન્યદેવ દિવ્યશક્તિનો (ધારક) ભગવાન આત્મા બિરાજે છે. આહા..! જેને પરમાત્મસ્વરૂપ પણ કહે છે. એ પરમાત્મા - સ્વભાવ - શક્તિ અંદર બિરાજે છે. પરમાત્મા પોતે સિંહ સમાન છે. (એવું) પરમાત્માનું બળ અંદર ભર્યું છે. એની સંભાળ કર. પ્રભુ ! અને તૃપ્ત થા. ત્યાં તને શાંતિ મળશે, ત્યાં તૃપ્તિ થશે. અહીં બહારમાં તને પાંચ-પચીશ, લાખ, કરોડ - બે કરોડ . પાંચ કરોડ મળે તો તૃપ્તિ નહિ થાય, તારા ભિખારાવેડા નહિ જાય. માગણ થઈ ગયો છે માગણ...! આ લાવ... આ લાવ... આ લાવ....... આ લાવ... આ લાવ...
* એક વખત કહ્યું હતું ને ? (વાંચનમાં) ભાવનગર દરબાર આવ્યાં હતાં. એની એક વર્ષની કરોડની ઊપજ છે, પેદાશ છે. અમારી જોડે જ છે – સોનગઢની જોડે (છે). વ્યાખ્યાનમાં આવ્યાં હતાં ત્યારે કહ્યું હતું ‘દરબાર ! જે મહિને લાખ ને બે લાખ માગે એ નાનો માગણ છે, કરોડ માગે એ મોટો માગણ, ભિખારી છે. અહીં તો (અમારે) એની પાસેથી કાંઈ લેવું. દેવું ન મળે, (એ) રાજી થાય તો કાંઈ પૈસો આપી જાય). અહીં તો કાંઈ છે નહિ. આહા...! દરબાર પોતે સાંભળવા આવ્યાં હતાં. એમણે કહ્યું, “સાચી વાત, મહારાજ !' મેં કહ્યું “બાપા ! આ ધૂળ છે તારી ! આ રાજની એક