________________
જ
'
૦
૦
૦
૦
અંદર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા, ને તૃપ્ત થા. અનંતગુણસ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર, તે આનંદરૂપ સરોવરમાં કેલી કર - તેમાં રમણ કર.” ૨૬.
: •
--પ્રવચન-૫, વચનામૃત-૨૬ થી ૩૦
વચનામૃત, ૨૬મો બોલ છે. ૨૫મો પૂરો) થયો. આ પહેલાં જે આમ કહ્યું ને ? કે ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરિહંતાણં.” પાઠ તો અત્યારે એટલો છે કે અણમો અરિહંતાણે. પણ છેલ્લો પાઠ એવો છે કે ણમો લોએ સવ્વ સાહૂણં' (એમ) આવે છે ને ? એ (“સÖ') બધાં પદને લાગુ પડે છે અને એ ઉપરાંત ધવલ (શાસ્ત્રમાં) એક વાત છે કે, ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં એવો પાઠ છે. ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરિહંતાણે ભૂતકાળના, ભવિષ્યના અને વર્તમાન અરિહંતોને નમસ્કાર ! એમ ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં' . જે સિદ્ધ થયાં, થાય છે અને થશે એને પણ અત્યારથી નમસ્કાર કરું છું. એમ ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં' . તેમ આચાર્ય... આમ તો આત્મામાં પાંચ પદ ભરેલ છે, ઝીણી વાત છે. આત્મામાં પાંચ પદ ભર્યા છે. એને અહીંયા સમ્યકુદૃષ્ટિ નમસ્કાર કરે છે કે, ત્રણકાળમાં વર્તતાં જે સર્વ આચાર્ય ને ઉપાધ્યાયને અને અત્યારે કોઈ જીવ નરકમાં પણ હોય તો તેને હું નમસ્કાર કરું છું).
-
-