________________
૩૪
[વચનામૃત-૧૦] કર્યા ને અનંતવાર રખડી મર્યો.
અહીં કહે છે “અમે બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. આહા.....! બધા આત્માઓ ચૈતન્યસ્વરૂપ છે. એની પર્યાયમાં ભૂલ છે એ તો અવસ્થા છે. દ્રવ્ય જે છે એ તો ચૈતન્ય સિદ્ધ સ્વરૂપ જ છે. ત્રિકાળ નિરાવરણ (છે). વસ્તુ જે છે એ ત્રિકાળ નિરાવરણ એખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. એ ચૈતન્ય જેમ પોતાને જણાયો એમ અમે બધાંને ચૈતન્ય દેખીએ છીએ કે અંદરમાં ચૈતન્ય પ્રભુ આ છે. બહારની ચીજને ભલે એ પોતાની માને. પણ આ આત્માની) પર્યાયદૃષ્ટિ ટળતાં બીજા(ને) પણ પર્યાયદૃષ્ટિથી જોતો નથી. પર્યાયનું જ્ઞાન કરે. પણ એનો આદર ન કરે.
અંદરમાં ચૈતન્ય સિદ્ધ સમાન છે. આ..હા...હા..! છે ? આવ્યું ને ? એ ભલે ને પોતાને ગમે તેવા માને (પણ) “કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી.' એ શું કીધું ? વસ્તુ જે છે ચૈતન્ય પ્રભુ ! એ રાગદ્વેષરૂપે છે જ નહિ. રાગદ્વેષ તો પર્યાયમાં ભિન્ન - જુદી ચીજ છે. એટલે જેને ચૈતન્યનું જ્ઞાન થયું એ-બીજાને ચૈતન્ય જોવે છે. એ ચૈતન્ય પ્રભુ છે ! રાગ છે, દ્વેષ (છે) એ કાંઈ એના ચૈતન્યનું નથી. એ પોતે ચૈતન્યને ચૈતન્ય દેખે છે, એમ બીજાને પણ ચૈતન્યપણે જ દેખે છે. આહા..હા...હા...!
કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી. આહા..હા...! શું કહ્યું એ ? આ પ્રભુ આત્મા છે એ શુદ્ધ (સ્વરૂપે છે). રાગ, દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પ વિનાનો છે. એનું જેને જ્ઞાન થયું, ભાન થયું તે રીતે જ બીજા બધાં આત્માને આત્મા એવો છે' એમ જોવે છે. એ (સામેવાળો) આત્મા ભલે પોતાને એમ ન માને, એ ભલે રાગદ્વેષને પોતાનાં માને, શરીરને પોતાનાં માને, પણ ચૈતન્ય છે એ, એ રૂપે થયો નથી. એથી આ આત્મા એને ચૈતન્યમય દેખે છે. એને રાગદ્વેષવાળો એ માને છે, પણ આ (ધર્મીજીવ) એ માનતો નથી. પોતાને રાગદ્વેષવાળો માનતો નથી તેથી પરને પણ રાગદ્વેષવાળો આત્મા માનતો નથી. આ..હા..હા...! આવો ઉપદેશ છે !
‘એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય - આત્મા ઊઘડ્યો છે....' શું કીધું ? ચૈતન્યનું જેને અંદરથી ભાન થયું, ચૈતન્ય ઊઘડ્યો હોય, રાગથી પૃથકુ જેને ચૈતન્યનો અનુભવ થયો હોય, અને ચૈતન્યના આનંદનો સ્વાદ જ્યાં સમ્યગ્દર્શન થતા આવ્યો હોય તે બધાંને ચૈતન્ય જ