________________
વચનામૃત રહસ્ય
છે.
૩૯
...દષ્ટિ બહાર જતી જ નથી.' આ...હા...હા...! ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ જે છે ત્યાં દૃષ્ટિ પડી છે તેથી તે દૃષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી જ નથી. ભલે અનુભવ વખતે હો કે રાગ આવતો હો, છતાં દૃષ્ટિનાં વિષયમાં તો ધ્રુવ
જ છે. આહા..હા..હા...! છે ?
જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે;....' આહા..હા...! પાતાળ એટલે ધ્રુવ (સ્વરૂપ). પર્યાય જે વર્તમાન અવસ્થા છે એનું પાતાળ ધ્રુવ છે. એ પર્યાય પાતાળને પહોંચી ગઈ છે. આહા..હા..હા..! ભાષા પણ નવી અને ભાવ પણ નવા !! આહા..હા...હા...! જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે....'
...ઊંડી ઊંડી ગુફામાં....' ચૈતન્ય ભગવાન જ્યાં અંદર બિરાજે છે એ ત્યાં ગુફામાં ....ઊંડે ઊંડે પહોંચી ગયા છે;...' આ...હાં.......! ‘...સાધનાની સહજ દશા સાધેલી છે.’ સાધનાની સહજ દશા સાધેલી છે. સાધવું એ સાધન મળે નવું કરવું એમ નહિ પણ ભેદ પડી જ ગયો છે. સ્વરૂપની સાધનાની (સહજ દશા) પ્રગટ થઈ ગઈ છે. એ સાધનાથી હવે પરમાત્મા થવાના છે. હવે એટલું પાછું હટવાનું નથી. વિશેષ કહેશે....
આ મનુષ્યભવ મળ્યો છે તે ભવના અભાવ માટે મળ્યો છે, પૈસા કમાવા માટે આ ભવ મળ્યો નથી, તેથી મૃત્યુ પહેલા આત્મકલ્યાણનું આ કાર્ય કરી લે. (પરમાગમસાર-૩૫૦)