________________
[વચનામૃત-૧૬] દિ મરે નહિ, અમૃત કોઈને મારે નહિ, અમૃત કોઈથી મરે નહિ. શું કહ્યું એ ? અ...મૃત છે ને ? અંદર અમૃત સ્વરૂપ ભગવાન (છે) એને સાચું જ્ઞાન અને વૈરાગ્ય સિંચે તો એ ચીજ (એ) અમૃત એવું છે કે (એ) કાંઈ ચીજથી મરે નહિ, એનું અસ્તિત્વ જાય નહિ, તેનું અસ્તિત્વ કોઈને મારે નહિ. આહા..હા..! અને તેના અસ્તિત્વને કોઈ મારી શકે નહિ અને તેનું અસ્તિત્વ કોઈને મારી શકે નહિ. બીજાનું અસ્તિત્વ એને મારી શકે નહિ અને અમૃતનું અસ્તિત્વ બીજાને મારી શકે નહિ. આહા..હા...! માટે એને અ...મૃત કહે છે. આહા..હા...! આવી ટાઢી વાણી છે. ટાઢી ઠારે તેવી) વાણી છે) !
જ્ઞાન - વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે. આહા..હા...! ફુવારો જેમ છૂટે છે એમ અંદર આનંદનાં સાગરમાં જો જાય (એટલે કે) લક્ષ કરે અને જ્ઞાન અને વૈરાગ્ય સિંચે તો આનંદનો ફુવારો છૂટે. અતીન્દ્રિય આનંદનો ફુવારો પર્યાયમાં ફુટે - ફાટે. (એટલે કે પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવી જાય. એ ધ્રુવમાં અમૃત પડ્યું છે. જે ધ્રુવમાં અમૃત પડ્યું છે અને જ્ઞાન-વૈરાગ્ય જો સિંચવામાં આવે તો એની પર્યાયમાં અમૃતપણું આવે. અમૃતનો સ્વાદ આવતાં કોઈ દિ' મરે નહિ ને કોઈ દિ (કોઈને) મારે નહિ એવી દશા એની પ્રગટ થઈ જાય. આહા..હા...! ભાષા તો બહુ ટૂંકી છે પણ (ભાવ ઘણાં ઊંડા છે. તમારી માગણી છે ને આ ?
સુખનો ફુવારો ફુટશે. આહા...હા...હા...! અંદર આનંદનો સાગર (છે). સમ્યગ્દર્શન જ્ઞાન ને અંતરથી જેના તળિયા હાથ આવ્યાં એનો સુખનો ફુવારો પર્યાયમાં ફટે અને અંતરમાં આનંદ આવે. ત્યારે જાણવું કે આ આત્મા આણે જાણ્યો, ત્યારે જાણ્યું કે આણે આત્માનો અનુભવ કર્યો. એ અનુભવમાં આત્મા આનંદમય જણાય ત્યારે આત્મા જાણ્યો એમ કહેવાય. આહા..હા...! છે ?
....રાગ સિંચવાથી દુઃખ મળશે.” રાગમાં ગમે તે શુભ રાગ હો કે અશુભ રાગ હો, ભગવાન પ્રત્યેનો રાગ (હો) (તો) પણ દુઃખ મળશે. આહા..હા..હા...! મોક્ષપાહુડમાં ૧૬મી ગાથામાં કહ્યું છે “પરવામો દુરારું તારું સ્વ દ્રવ્યનું લક્ષ જો પર દ્રવ્ય ઉપર જાશે, ભગવાન એમ કહે છે કે અમારા ઉપર પણ તારું જો લક્ષ જશે તો ચૈતન્યની ગતિ નહિ થતાં રાગની દુર્ગતિ થશે. આા .હા...!