________________
પ૭
વચનામૃત રહસ્ય દાક્તર આમ બેઠો એમાં નીચે નાગણી નીકળી હશે. (તો) બેસવામાં નાગણી ઉપર આમ પગ આવી ગયો. નાગણી નીકળીને પગ. આવ્યો (એટલે નાગણી એ) વંશ માર્યો. ને ત્યાં ને ત્યાં મરી ગયો ! હમણાં ત્યાં સોનગઢમાં બન્યું છે. દાક્તરને સર્પ , નાગણી કરડ્યો ! તરત મરી ગયો, નાગણી જીવતી રહી ! બીજા આસપાસના. માણસો ભેગાં થયા ને ! પગ દબાઈ ગયો ને જરી ઉપચાર કરીને જીવવા દીધી (એટલે) મરી ન ગઈ અને આ દાક્તર મરી ગયો ! કરડ્યો ભેગો ! નાગણીએ આમ પગ કરડ્યો ને દેહ છૂટી ગયો. હમણાં સોનગઢમાં બન્યું છે.
એ (જેમ) ઝેર છે, એમ રાગ પણ ઝેર છે. એ ઝેરને (રાગને) જો પોતાનો માને તો ડંખ (મારી એમ) મરી ગયા. એના આત્માના સ્વરૂપની શાંતિ મરી જાય છે. એનો જ્ઞાયક ભાવ સત્તામાં મરી જાય છે. એની શ્રદ્ધા એને રહેતી નથી. આહા..હા...! રાગને જો કાંઈપણ ઠીક માને તો રાગ વિનાની ચીજને તે અઠીક માને છે ! (તેનો) અનાદર કરે છે. આહા..હા...! ‘દ્વેષ અરોચક ભાવ.' આત્મા પ્રત્યે જેને રાગ નથી - પ્રેમ નથી અને રાગ પ્રત્યે જેને પ્રેમ છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, સમજાય છે કાંઈ ? જેને રાગ પ્રત્યે પ્રેમ છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, આત્મા પ્રત્યે તેને અરુચિ છે. રાગ પ્રત્યે જેને રુચિ છે - જેને રાગ પ્રત્યે રુચિ છે, તેને આત્મા પ્રત્યે અરુચિ છે. અરૂચિ છે તે દ્વેષ છે. આહા..હા...! શ્વેતાંબરમાં આનંદઘનજી એક થઈ ગયા છે. એણે એ શબ્દો લીધાં છે કે દ્વેષ અરોચક ભાવ' . તને જ્ઞાયક સ્વરૂપ ન રુચે અને રાગ જો રુચે તો તને આત્મા ઉપર ઠેષ છે. આહા..હા...! “બ્રેષ અરોચક ભાવ’ - આત્મા સુખ (સ્વભાવી) આનંદકંદ છે, એ રુચે. નહિ .. એ જ દ્વેષ છે. એ અરોચક (ભાવ) છે તે જ ઠેષ છે અને દ્વેષ છે તે ઝેર છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! લોકોમાં શુભભાવો ને તો ધર્મ મનાવે છે. (કહે છે) શુભભાવ કરો - કરતાં-કરતાં (ધર્મ) થશે ! લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે.. ! એવું છે.
(અહીં કહે છે) ....આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. આહા..હા...! ધર્મી જીવને અભિપ્રાયમાં રાગ નાગ જેવો - કાળા નાગ જેવો દેખાય છે આહા..હા....! અજ્ઞાનીને રાગથી પ્રેમ (છે), (તેના પ્રેમવાળો છે, એને રાગનો જ પ્રેમ છે.
-