________________
S®e
:
* ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના . એવી યથાર્થ ભાવના : હોય તો તે ભાવના ફળે જ છૂટકો. જો ન ફળે તો જગતને . ચોદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ..ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે . એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે.” ૨૧.
'
પ્રવચન-૪, વચનામૃત-૨૧થી ૨૫
આ વચનામૃત, ૨૧મો બોલ છે, ૨૦ બોલ) તો ચાલ્યાં. વિચાર કરવામાં જરી અવકાશ હોય એને સમજવા માટે આ વાત છે, બાપુ ! આહા..! જેને હજી લૌકિક નીતિનાં ઠેકાણાં ન હોય એને આ વાત સાંભળવા પણ મળે નહિ. સાંભળવા મળે તો એને એ રૂચે પણ નહિ. લૌકિક નીતિ (એટલે) જેને દારૂ, માંસ ને પરસ્ત્રીનો ત્યાગ એ અનૈતિકનો તો ત્યાગ પહેલો છે. - દારૂ, શરાબ, માંસ અને પરસ્ત્રી. એનો ત્યાગ તો પહેલેથી (જો) ન હોય તો એ નરકગામી જીવ છે. એને માટે આ વાત નથી. આહા..હો...! - ચેતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના.... છે શબ્દ ? એ શું કહે છે ? આ ચૈતન્ય આનંદ સ્વરૂપ ભગવાન (એવા) ચૈતનને ચૈતન્યમાંથી પરિણમેલી (અર્થાતુ) અંતરમાંથી થયેલી દશા. જેને સંસારના પાપના પરિણામ તો જાણે ન હોય, પણ જેને પુણ્યના પરિણામ(ની) પણ રૂચિ અંદરમાં ન હોય. જેને પાપનાં પરિણામ તીવ્ર છે એને તો આ સાંભળવામાં પણ અંતર(માં)