________________
વચનામૃત રહસ્ય (એટલે કે રાગ-દ્વેષથી રહિત થઈને અંદર ચૈતન્ય સ્વરૂપ પ્રભુની ભાવના થઈને ફળે જ છૂટકો, (અર્થાતુ) કેવળજ્ઞાન થયે જ છૂટકો. ન ફળે તો જગતને - ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેમકે એ ભાવનાનું ફળ ન આવે તો-તો જગત શૂન્ય થઈ જાય. કેમકે દરેક (દ્રવ્યની) પર્યાયનું (જો) ફળ ન આવે તો તો જગત શૂન્ય થઈ જાય. આ...હા..હા.હા..!
પાપનાં પરિણામનું ફળ પણ નરક, નિગોદ ન આવે, પુણ્યનું ફળ પણ સ્વર્ગ ને મનુષ્યપણું ન આવે અને ચૈતન્યના પરિણામનું ફળ કેવળજ્ઞાન ન આવે (તો) જગતને શૂન્ય થવું પડે !! આહા..હા...! સમજાય છે કાંઈ ? પાપના બીજડાં વાવ્યાં અને નરક ને નિગોદ ન મળે, પુણ્યના ભાવ થયાં અને જો સ્વર્ગ કે મનુષ્યપણું ન મળે અને ચૈતન્યની ભાવના થઈ ને કેવળજ્ઞાન ન મળે (તો) જગતને શૂન્ય થવું પડે !! (પરંતુ, એવું ત્રણ કાળમાં બને નહિ. આહા..હા..હા...! ઝીણી વાત છે ભગવાન ! દુનિયાથી જુદી જાત લાગે પણ વાત તો આ છે પ્રભુ ! આહા..હા..!
એને મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્ય કોને કહીએ ? ગોમટસામાં એક પાઠ છે. મનુષ્ય કોને કહીએ ? આહા..હા...! “જ્ઞાયક તે ઇતિ મનુષ્ય” (અર્થાત) અાત્માનું ચૈતન્ય સ્વરૂપ જાણે તેને મનુષ્ય કહીએ, બાકી બધાંને પશું કહીએ. આહા..હા.. ગોમટસારમાં (આવે છે. જ્ઞાયક તે ઇતિ મનુષ્ય આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેને જાણે એ મનુષ્ય કહેવાય. મનન કર્તે ઇતિ મનુષ્યઃ ચેતનનું મનન કરે, ધ્યાન કરે તે મનુષ્ય (છે). બાકી એ વિનાનાં પશુ કહેવામાં આવે છે. આહા..હા...!
શાસ્ત્રમાં તો ત્યાં સુધી પાઠ છે કે જેને ચેતની ભાવના - સમ્યગ્દર્શન નથી - એ ચાલતાં મડદાં છે !! મોક્ષપાહુડમાં છે. અષ્ટપાહુડ છે ને ? એની અંદર એ છે . ચાલતાં મડદાં છે. મરી ગયેલાં ને જેમ મસાણમાં ઉપાડીને લઈ જાય છે. એમ આ પણ ચાલતાં મડદાં છે !! ચૈતન્યસ્વરૂપ અંદર ભગવાન પૂર્ણ વીતરાગમૂર્તિ ! એની જેને રુચિ નથી, તેના તરફનું વલણ નથી, તેના તરફનો ઝુકાવ નથી, તેના તરફનો પ્રેમ નથી, એ બધાં ચાલતાં મડદાં છે. આવું છે, બાપા ! આહા..હા..!
એ અહીં કહે છે કે ...ચોદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે,... એટલે ? જે જે ભાવના હોય) તેનું ફળ ન આવે તો જગત રહે નહિ. પાપ કરે (એને)
-
-