________________
વચનામૃત રહસ્ય એ આત્મા જ રહી શકે નહિ. આ..હા..હા..! આવી વાતો છે, પ્રભુ !
....ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય.' જોયું ? કારણ કે એની પર્યાય છે અને એનું) ફળ ન આવે તો દ્રવ્ય જ ન રહે. જે આત્માએ જે નરક નિગોદના ભાવ કર્યા, એ ભાવ પ્રમાણે નરકમાં (ન જાય તો એ દ્રવ્ય જ ન રહે). બ્રહ્મદત્ત ચક્રવર્તી ! છ ખંડનો ધણી ! ૯૬ હજાર સ્ત્રી અને ૯૬ કરોડ પાયદળ...! એનો નાયક મરીને સાતમી નરકે ગયો. (અહીં) કહે છે કે એ પાપનું ફળ જો ન આવે તો એ જગત જ રહે નહિ એમ કહે છે. વાત સમજાય છે ને ? એમ પુણ્યના ફળ તરીકે સ્વર્ગાદિ, મનુષ્યઆદિ ન મળે તો એ વસ્તુ જ ન રહે, એમ ચૈતન્યના પરિણામ થયાં અને કેવળજ્ઞાન ન થાય તો એ વસ્તુ જ ન રહે, જગત શૂન્ય થઈ જાય. આહા..હા..! બહુ ઊંડી અને ઝીણી વાત છે. “પરંતુ એમ બને જ નહિ. આહા..હા...! “અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે ? પરિણામ છે તેનું ફળ ન આવે તો દ્રવ્ય જ રહી શકે નહિ. જે પર્યાય કરી તેનું ફળ ન આવે તો પર્યાય વિનાનું દ્રવ્ય જ ન રહી શકે, દ્રવ્યનો નાશ થઈ જાય. જરી ઝીણી વાત છે પણ ઊંચી વાત છે. આહા..હા...! પરંતુ એમ બને જ નહિ.” આહા...હા..હા...! જેવાં પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહિ. આહા...! ચારગતિ અને સિદ્ધગતિ - એ પરિણામનું ફળ છે. એ પરિણામનું ફળ ન આવે તો એ ચારગતિ અને સિદ્ધગતિ જ ન રહી શકે. આહા..હા...! સમજાય છે કાંઈ ? એમ આત્મામાં રાગ અને દ્વેષ વિનાની ચેતન સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનની ભાવના (જેને થઈ એને કેવળજ્ઞાન ને પરમાત્મપદ ન થાય તો તે પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જાય, એનો નાશ થતાં જગતનો પણ નાશ થઈ જાય. એમ અંદર કહે છે, જુઓ ! છે?
ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે - પાપ કર્યા હોય તો નરકનિગોદ, પુણ્ય કર્યા હોય તો સ્વર્ગાદિ અને ચૈતન્યના પરિણામ કર્યા હોય તો મુક્તિ મળ્યા વિના રહે નહિ). એમ... છે ? “ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે ? કુદરતમાં એનું ફળ આવ્યા વિના રહે જ નહિ. આહા..હા...! જેને ચૈતનની ભાવના પ્રગટી અને મોક્ષ થયા વિના રહે જ નહિ, બીજ ઊગી એને પૂનમ થયા વિના રહે જ નહિ. આહા..હા...! વાત તો જરી ઝીણી (છે) પણ....! બેનનાં શબ્દો છે. તમે બધાએ લખાવ્યા છે
-
-
-
- .