________________
==
=
=
=
==
=
--
.
.
=
= :... ----
-
વચનામૃત રહસ્ય છે ? કે જેમાં પુણ્ય ને પાપ, રાગ-દ્વેષ રહિત ભાવના હોય છે. આહા..હા...! છે (અંદર) “...એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના.... આહા..હા..હા..!
અરેરે...! આવો અવતાર મળ્યો ને એમાં જો આત્માનું હિત કાંઈ કર્યું નહિ (તો) ફરીને મનુષ્યપણું પ્રભુ ક્યારે મળશે ? ચોરાસીના અવતારમાં અનંત કાળથી રખડી મર્યો છે. નરક ને નિગોદનાં દુઃખો....! તારા દુઃખો દેખી દેખનાર ને રોણાં આવ્યા છે બાપા ! એવાં દુઃખો સહન કર્યા છે. પણ ભૂલી ગયો ! જરી કાંઈ બહારની સગવડતા મળી, બે-પાંચ કરોડ રૂપિયા મળ્યા ને છોકરાં-છોકરી કંઈક ઠીક થયા ને શરીર જરી રૂપાળું મળ્યું ને થઈ રહ્યું... મરી ગયો એમાં ! મારી ચીજ અંદર કોણ છે ? એને જોવા માટે, વિચારવા માટે અવકાશ પણ લેતો નથી
અહીં કહે છે કે આહા..હા...! ચૈતન્યમાંથી ઊગેલી ભાવના રાગ-દ્વેષ રહિત હોય છે). રાગ-દ્વેષ રહિત...! આહા...! અહીં તો ધર્મની વાત છે ને પ્રભુ ! ધર્મ (પ્રાપ્ત થયાં) પહેલાં નૈતિકની તો વાત કરી. નૈતિક જીવન તો હોવું જ જોઈએ. સાધારણ પ્રાણી - સજજન જેને કહીએ એને પણ દારૂ, માંસ ને પરસ્ત્રી તો હોય જ નહિ. સર્વ (સ્ત્રીઓ) દીકરીયું, માતા ને બેન સમાન એને તો હોય છે. આહા..હા...! એવું તો જેનું નૈતિક જીવન હોય
એવા જીવનમાંથી જ્યારે ચૈતન્યમાંથી પરિણમેલી પર્યાય આવે છે, એ રાગ ને દ્વેષ વિનાની થયેલી દશા આવે છે. આહા..હા..! થોડું આકરું લાગે પણ પ્રભુ ! સાંભળજે હોં...! કઠણ લાગે તોપણ....! બીજી વાત શું કરીએ ? અહીં તો ૪૫ વર્ષથી આ વાત હાલે છે, ૪૫ વર્ષ થયાં ! ૪૫ આ થયાં ને ૪પ આ થયાં (એટલે) સંસારમાં ૪૫ થઈ ગયાં. સંસારમાં તો ૨૩ વર્ષ થયાં પણ પછી આ સંપ્રદાયમાં આમાં (મુહપત્તીમાં) રહી ગયાં ને ! એમ કરીને ૪પ થયાં ને ૪૫ અહીં (સોનગઢમાં) થયાં. પણ આ વાત ઊગેલી....! આહા........!
રાગ અને દ્વેષ વિનાની થયેલી ભાવના છે ? ....એવી યથાર્થ ભાવના હા..' એવી યથાર્થ ભાવના - યથાર્થ ભાવના કેમ કીધું ? કે શાસ્ત્રનું જાણપણું કરીને વાત ધારી હોય પણ અંદરની ભાવના ન હોય. આહા..હા...! શાસ્ત્રોને વાંચીને ધારી રાખ્યું હોય પણ અંદરમાં રાગ-દ્વેષ રહિત થઈ ને